Exit Poll Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટેનું મતદાન પુરુ થઇ ચૂક્યુ છે. આજે બુધવાર (૫ ફેબ્રુઆરી) ના રોજ મતદાન પુરુ થયા બાદ 57 ટકાથી વધુ મત પડ્યા છે. હવે એક્ઝિટ પૉલના પરિણામો આવવાની શરૂ થઇ ગયા છે, જેમાં સૌથી પહેલા સટ્ટા બજારમાંથી આંકડા સામે આવ્યા છે. 

Continues below advertisement


દિલ્હી સટ્ટા બજારના ચોંકાવનારા આંકડા આવ્યા સામે 
દિલ્હી સટ્ટા બજાર અનુસાર, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે, આ ચૂંટણીમાં આપ પાર્ટીને 38 થી 40 બેઠકો, ભાજપને 30 થી 32 બેઠકો મળવાની શક્યતા છે, જ્યારે કોંગ્રેસને એક પણ બેઠક મળવાની શક્યતા નથી.


દિલ્હીમાં સાંજે 5 વાગ્યા સુધી કેટલું મતદાન થયું ?
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 57.70 ટકા મતદાન નોંધાયું હતું. આમાં મુસ્તફાબાદ બેઠક પર સૌથી વધુ મતદાન થયું છે. હવે દિલ્હીમાં મતદાનનો સમય પૂરો થઈ ગયો છે.


બુધવારે સવારે 7 વાગ્યાથી 1.56 કરોડથી વધુ મતદારોએ મતદાન કર્યું. તમામ 70 વિધાનસભા મતવિસ્તારોમાં 13,766 મતદાન મથકો પર મતદાન થયું, જેમાં 699 ઉમેદવારોનું ચૂંટણી ભાવિ EVMમાં કેદ થયું. આ ઉપરાંત, ૭,૫૫૩ લાયક મતદારોમાંથી ૬,૯૮૦ મતદારોએ 'ઘરેથી મતદાન કરો' સુવિધા હેઠળ મતદાન કરી દીધું છે. અગાઉ, સોમવારે (૩ ફેબ્રુઆરી) સાંજે ૬ વાગ્યે સત્તાવાર રીતે સમાપ્ત થયેલા ચૂંટણી પ્રચારમાં ત્રણ મુખ્ય દાવેદારો વચ્ચે કઠિન સ્પર્ધા જોવા મળી હતી. AAP એ તેના શાસન મોડેલ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને અરવિંદ કેજરીવાલ અને મુખ્યમંત્રી આતિશીએ શહેરભરમાં રેલીઓ યોજી.


દિગ્ગજોઓ કર્યો પ્રચાર 
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ પ્રમુખ જેપી નડ્ડા જેવા દિગ્ગજ નેતાઓના નેતૃત્વમાં, ભાજપે ભ્રષ્ટાચારના આરોપો અને કાયદો અને વ્યવસ્થાના મુદ્દાઓ પર AAP પર પ્રહારો કર્યા. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે પણ જોરશોરથી પ્રચાર કર્યો અને વિવિધ મુદ્દાઓ પર AAP અને BJP બંને પર પ્રહારો કર્યા.


આ મુદ્દાઓ ચૂંટણીમાં રહ્યાં હાવી 
ચૂંટણી પ્રચાર દરમિયાન 'શીશમહેલ' વિવાદ, યમુનાના પાણીની ગુણવત્તા, શાસન, કાયદો અને વ્યવસ્થા, મહિલા કલ્યાણ અને મતદાર યાદીઓ સાથે છેડછાડના આરોપો જેવા મુદ્દાઓ જોરશોરથી ઉઠાવવામાં આવ્યા હતા. ચૂંટણી પહેલાના વચનોમાં મફત સુવિધાઓ પૂરી પાડવાનો મુદ્દો પણ મુખ્ય હતો.


રાજકીય પક્ષોએ આ વચનો આપ્યા હતા
આમ આદમી પાર્ટીએ વિદ્યાર્થીઓ માટે મફત બસ મુસાફરી, ઓટો અને ટેક્સી ડ્રાઇવરો માટે વીમો અને મંદિરના પૂજારીઓ અને ગુરુદ્વારાના ગ્રંથીઓને ૧૮,૦૦૦ રૂપિયાની નાણાકીય સહાયનું વચન આપ્યું છે. બીજી તરફ, ભાજપે સગર્ભા સ્ત્રીઓ માટે 21,000 રૂપિયાની નાણાકીય સહાય અને 500 રૂપિયામાં સબસિડીવાળા રાંધણ ગેસ સિલિન્ડરનું વચન આપ્યું છે, જ્યારે કોંગ્રેસે 8,500 રૂપિયાનું માસિક બેરોજગારી ભથ્થું આપવાનું વચન આપ્યું છે.


8 ફેબ્રુઆરીના રોજ પરિણામો
8 ફેબ્રુઆરીના રોજ આવનારા ચૂંટણી પરિણામો સ્પષ્ટપણે બતાવશે કે આમ આદમી પાર્ટી પોતાની સરકાર જાળવી રાખવામાં સક્ષમ છે કે નહીં, ભાજપ પોતાની હારનો દોર તોડી શકશે કે કોંગ્રેસ આશ્ચર્યજનક પરિણામ આપી શકશે કે નહીં.


આ પણ વાંચો


DELHI ELECTION 2025: કેજરીવાલ પર અન્ના હજારેનો સીધો હૂમલો, બોલ્યા- 'શરૂઆતમાં સારા હતા પરંતુ જ્યારે...'