Illegal immigrants in America: અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 104 ભારતીયોને લઈને એક અમેરિકન લશ્કરી વિમાન બુધવારે (5 ફેબ્રુઆરી) શ્રી ગુરુ રામદાસ જી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતર્યું. યુએસ લશ્કરી વિમાન C-17માં પંજાબ અને ગુજરાત હિત અન્ય રાજ્યોના 104 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામેલ છે.


અમેરિકાથી ભારત મોકલવામાં આવેલા ભારતીયોની સંખ્યા 104 છે. આ લોકોમાં, મોટાભાગના લોકો પંજાબ, હરિયાણા અને ગુજરાતના છે. આ યાદીમાં પંજાબના કુલ 30 લોકોનો સમાવેશ થાય છે. પંજાબના વિવિધ જિલ્લાઓની પોલીસ એરપોર્ટ પર પહોંચી ગઈ છે. આ ઉપરાંત અમેરિકાથી દેશનિકાલ કરાયેલા લોકોમાં ઉત્તર પ્રદેશના લોકોનો પણ સમાવેશ થાય છે.


ડીજીપીએ નિવેદન બહાર પાડ્યું


પંજાબના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ગૌરવ યાદવે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સ્થળાંતર કરનારાઓનું સ્વાગત કરશે અને એરપોર્ટ પર કાઉન્ટર સ્થાપિત કરશે. પંજાબના NRI બાબતોના મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે મંગળવારે યુએસ સરકારના નિર્ણય પર નિરાશા વ્યક્ત કરી અને કહ્યું કે આ લોકોને, જેમણે તે દેશના અર્થતંત્રમાં યોગદાન આપ્યું છે, તેમને દેશનિકાલ કરવાને બદલે કાયમી રહેઠાણ મળવું જોઈતું હતું.


પંજાબના મંત્રીએ કહ્યું કે ઘણા ભારતીયો 'વર્ક પરમિટ' પર અમેરિકામાં પ્રવેશ કરે છે અને પછી જ્યારે તે સમાપ્ત થાય છે, ત્યારે તેઓ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ બની જાય છે. તેમણે કહ્યું કે તેઓ આવતા અઠવાડિયે વિદેશ મંત્રી એસ જયશંકરને મળવાની યોજના ધરાવે છે જેથી તેઓ અમેરિકામાં રહેતા પંજાબીઓની ચિંતાઓ અને હિતોની ચર્ચા કરી શકે.


મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે આ વાત કહી હતી


મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે પણ પંજાબીઓને ગેરકાયદેસર રીતે વિદેશ પ્રવાસ ન કરવાની અપીલ કરી અને વિશ્વભરમાં તકોનો લાભ લેવા માટે કૌશલ્ય અને શિક્ષણ પ્રાપ્ત કરવાના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે લોકોને વિદેશ પ્રવાસ કરતા પહેલા કાનૂની પ્રક્રિયાઓ વિશે શીખવા, શિક્ષણ અને ભાષા કૌશલ્ય પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કર્યા.


અમેરિકાથી પાછા મોકલાયેલા ગુજરાતીઓમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના છે જેમાં મહેસાણા અને ગાંધીનગરમાંથી 12-12 લોકો પરત આવશે. જ્યારે સુરતના 4 અને અમદાવાદના 2 લોકો સામેલ હોવાનું ખુલ્યું છે. જ્યારે વડોદરા, ખેડા અને પાટણની 1-1 વ્યક્તિ આ વિમાનમાં સામેલ છે. 


આ પણ વાંચો....


Delhi Election 2025:જો BJP જીતશે તો આપ બનશો મુખ્યમંત્રી, જાણો પ્રવેશ વર્માએ મતદાન કર્યાં બાદ શું આપ્યું નિવેદન