નવી દિલ્લીઃ દિલ્લીના આઝાદ માર્કેટમાં એક બિલ્ડિંગ ધરાશાયી થઈ છે. આ બિલ્ડિંગ ધરાશાયી થતાં 5 લોકો ઘાયલ થયા છે. હજુ કેટલાક લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. દટાયેલા લોકોની શોધખોળ અને રેસ્ક્યૂ અત્યારે કરવામાં આવી રહ્યું છે. 


દિલ્લી ફાયરબ્રિગેડના રવિન્દર સિંહે જણાવ્યું હતું કે, રેસ્ક્યુ હજુ ચાલી રહ્યું છે. મળેલી વિગતો પ્રમાણે, 6-7 મજૂરો બિલ્ડિંંગના કાટમાળમાં ફસાયા છે. 5 ઘાયલોને રેસ્ક્યૂ કરીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. એનડીઆરએફની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી છે. અમે લાઇવ ડિટેક્ટરથી શોધખોળ કરી રહ્યા છીએ. જેસીબી નાની ગલી હોવાથી અંદર આવી શકતું નથી.






બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટનામાં અત્યાર સુધીમાં ચાર લોકો ઘાયલ થયા છે. જોકે, હજુ સુધી કોઈ જાનહાનિ ન થઈ હોવાનું ડીસીપી સાગર સિંહ કલ્સીએ જણાવ્યું હતું.