કોરોના વેરિયન્ટ પર પબ્લિક હેલ્થ ઇગ્લેન્ડના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ હવે વધુ ખતરનાક ડેલ્ટા+માં પરિવર્તિત થતાં આ વેરિયન્ટે ચંતા વધારી છે. ઉલ્લેખનિય છે કે, દેશમાં કોરોના ડેલ્ટા વેરિયન્ટે વિનાશ વેર્યો હતો. 


કોરોનાની બીજી લહેર વિનાશકારી સાબિત થઇ છે.   બીજી લહેરમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટે ભંયકર સ્થિતિ સર્જી છે.  હવે ડેલ્ટા વેરિયન્ટ+માં બદલાઇ ગયો છે. મોનોક્લોનલ એન્ટીબોડીઝ કોકટેલે  આ વેરિયન્ટ પર અસરકારક નહી સાબિત થાય એવી વૈજ્ઞાનિકોએ ચિતા વ્યક્ત કરી છે. ઉલ્લેખનિ છે કે, મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેલને મેના પ્રારંભમાં દેશમાં ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપવામાં આવી હતી.


મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેલ એટલે શું ?


મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેલ કેસિરિવિમેબ અને ઈમ્ડેવિમેબથી બનેલ છે. તેને ફાર્મા કંપની સિપ્લા અને રોશે  ઈન્ડિયાએ મળીને બનાવી છે. ભારતમાં તેનો કોરોનાની સારવારના ઈમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી મે માં જ મળી ગઈ હતી. જો કે હવે  હવે ડેલ્ટા વેરિયન્ટ+માં બદલાઇ ગયો છે. મોનોક્લોનલ એન્ટીબોડીઝ કોકટેલે  આ વેરિયન્ટ પર અસરકારક નહી સાબિત થાય એવી વૈજ્ઞાનિકોએ ચિતા વ્યક્ત કરી છે.



કોરોનાની બીજી લહેરમાં દેશમાં તબાહી મચાવનાર ડેલ્ટા વેરિયન્ટ હવે વધુ ખતરનાક ડેલ્ટા+ માં બદલાઈ ગયો છે. વૈજ્ઞાનિકોને આશંકા છે કે કોરોના દર્દીઓને આપવામાં આવી રહેલ મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેલ આ વેરિયન્ટ પર અસરકારક નહીં થઈ શકે. અંગ્રેજી સમાચાર વેબસાઇટ ટાઇમ્સ ઓફ ઈન્ડિયાએ આ રિપોર્ટ આપ્યો છે. જણાવીએ કે મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેલને મેના પ્રારંભમાં દેશમાં ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપવામાં આવી હતી. બ્રિટનની આરોગ્ય સંસ્થા પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડના રિપોર્ટ અનુસાર ડેલ્ટા વેરિયન્ટના 63 જીનોમ નવા K417N મ્યૂટેશન સાથે સામે આવ્યો છે. જ્યારે ડેલ્ટા વેરિયન્ટની તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે ડેલ્ટા+ વેરિયન્ટ સામે આવ્યો છે. જેને વૈજ્ઞાનિકોની ચિંતા વધારી છે. ભારતમાં પણ  ડેલ્ટા+વેરિયન્ટના 7 જેટલા કેસ સામે આવ્યાં છે. K417N મ્યૂટેશન બાબતે મોટી ચિંતા તે છે કે તે એન્ટિબોડીઝ કોકટેલ સામે રેજિસ્ટેંટ હોવાના પુરાવા મળ્યા છે. જો કે  કે ભારતમાં K417N મ્યૂટેશનની ફ્રિકવેંસી બહુ વધુ ન હોવાનું પણ તારણ સામે આવ્યું છે.