કાનપુર: ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં DM પ્રતિભા ગૌતમનું શંકાસ્પદ અવસ્થામાં મૃતદેહ મળ્યો હતો. બતાવવામાં આવી રહ્યું છે કે મજિસ્ટ્રેટ પ્રતિભા ગૌતમ કાનપુર દેહાતમાં જ્યુડિશિયલ મજિસ્ટ્રેટના પદ ઉપર હતી. આ મામલો પોલીસ કેંટના સર્કિટ હાઉસ કૉલોનીનો છે. મોતની સૂચના પછી ઘટના સ્થળે ભારે સંખ્યામાં પોલીસ કાફલો હાજર હતો.


જાણકારી અનુસાર 29 જાન્યુઆરી 2016એ પ્રતિભા અને અભિષેકે લવ મેરેજ કર્યા હતા. પરંતુ આ લગ્નમાં બન્નેના પરિવારજનો હાજર રહ્યા નહોતા. મૃતક પ્રતિભાના પતિ અભિષેકનું કહેવુ છે કે શરૂઆતથી તેમના પરિવારજનો લગ્નના વિરોધી હતા. કારણ કે અમે વકીલ હતા અને તેમના પરિવારજનોને જજ છોકરો જોઈતો હતો. મૂળરૂપતી ઝાંસીની રહેવાસી પ્રતિભા ગૌતમને 2013માં પીસીએસ જેમાં સિલેક્શન થયું હતું અને તેની પહેલી પોસ્ટિંગ કાનપુર દેહાતમાં જિલ્લા અને સત્ર ન્યાયાલય તરીકે જ્યુડિશિયલ મજિસ્ટ્રેટના પદ તરીકે તેમની નિમણૂંક થઈ હતી.

પ્રતિભાના પતિ અભિષેકનું કહેવું છે કે સવારે જ્યારે તે ઘરે પહોંચ્યા ત્યારે અંદરથી દરવાજો બંધ હતો. તેમને ઘણો સમય સુધી દરવાજો ખખડાવ્યો પરંતુ અંદરથી કોઈ જવાબ મળ્યો નહોતો. તેના પછી હું દરવાજો તોડીને અંદર જોયું તો મારા હોંશ ઉડી ગયા હતા. રૂમની અંદર પ્રતિભાનો મૃતદેહ પંખા સાથે લટકી રહ્યો હતો. અભિષેકે તરંત આ વાતની જાણ પોલીસને કરી હતી.

જાણ થયા પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને પંખાથી નીચે ઉતાર્યો હતો. અને મૃતદેહને પંખાથી નીચે ઉતારી પોતાના કબ્જામાં લીધો હતો. પોલીસનું કહેવું છે કે મહિલાના હાથો પર કટના નિશાન જોવા મળ્યા છે. સાસરીયા વાળાને જ્યારે પુત્રીના મોતના સમાચાર મળ્યા તો તે પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સાસરીયાવાળાઓએ આરોપ લગાવ્યો છે કે તેમની પુત્રી સાથે અન્યાય થયો છે. રાજારામનું કહેવું છે કે, મારી પુત્રી ખૂબજ બહાદુર હતી, તે આત્મહત્યા ના કરી શકે. પોલીસ ઘટનાની ઉંડાણ પૂર્વક તપાસ કરી રહી છે.