ભારતીય ચૂંટણી પંચ આજે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજવાનું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિત 12 રાજ્યોમાં SIRનું કામ શિડ્યુલ કરતાં પાછળ રહી ગયું છે, જેના કારણે ચૂંટણી પંચ આ રાજ્યો માટે સમયમર્યાદા લંબાવવાનું વિચારી રહ્યું છે.

Continues below advertisement

જે રાજ્યોમાં SIRની પ્રગતિ ધીમી હોવાનું કહેવાય છે તેમાં આંદામાન અને નિકોબાર ટાપુઓ, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કેરળ, લક્ષદ્વીપ, મધ્યપ્રદેશ, પુડુચેરી, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચે કહ્યું હતું કે  વધુ સચોટ અને અદ્યતન મતદાર યાદીઓ સુનિશ્ચિત કરવા માટે વધારાનો સમય જરૂરી છે.

મતદાર યાદીઓને સુધારવા અને સુવ્યવસ્થિત કરવા માટે SIR પ્રક્રિયા દેશભરમાં લાગુ કરવામાં આવી રહી છે. તેનો હેતુ છેતરપિંડીયુક્ત મતદાન અટકાવવા, ડુપ્લિકેટ નામો દૂર કરવા, મૃતક અથવા સ્થાનાંતરિત મતદારોના નામ હટાવવા અને લાયક નાગરિકો, એટલે કે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને યાદીમાં સામેલ કરવાનો છે.

Continues below advertisement

SIRનો બીજો તબક્કો હાલમાં ચાલી રહ્યો છે. પ્રથમ તબક્કો બિહારમાં શરૂ કરવામાં આવ્યો હતો. બીજા તબક્કામાં BLOs વિવિધ રાજ્યોમાં બૂથ સ્તરે ઘરે-ઘરે જઈને ચકાસણી કરી રહ્યા છે. ઘણા BLO શિક્ષકો અથવા સરકારી કર્મચારીઓ છે અને ટૂંકા સમયમાં સમગ્ર વિસ્તાર પૂર્ણ કરવો તેમના માટે એક મહત્વપૂર્ણ પડકાર સાબિત થઈ રહ્યો છે.

SIRની સમયમર્યાદા લંબાવવામાં આવી શકે છે

ચૂંટણી પંચને રિપોર્ટ મળ્યા છે કે ઘણા જિલ્લાઓમાં ચકાસણી ઝૂંબેશ હજુ પણ અધૂરી છે. તેથી આજની બેઠકમાં વિલંબવાળા રાજ્યોને વધારાનો સમય આપવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. બેઠક પછી કમિશન અંતિમ સમયમર્યાદા જાહેર કરશે.                                                 

સમય-સમય પર SIR આવશ્યક

અમિત શાહે જણાવ્યું હતું કે SIR ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની સરકાર સમયે કરવામાં આવ્યું હતું.  નરસિમ્હા રાવના કાર્યકાળ દરમિયાન પણ SIR કરવામાં આવ્યું હતું. 2003 પછી, હવે 2025 માં મતદાર યાદીઓ હાથ ધરવામાં આવી રહી છે. સમય-સમય પર SIR આવશ્યક છે. SIR મતદાર યાદીઓની શુદ્ધિકરણ સિવાય બીજું કંઈ નથી. શું ઘુસણખોરો નક્કી કરશે કે દેશના પ્રધાનમંત્રી કોણ હશે ?