નવી દિલ્હી: રોજગારી મામલે દેશમાં મોટો ઘટાડો થયો છે. અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના સેન્ટર ઓફ સસ્ટેનેબલ ઈમ્પ્લોયમેન્ટ દ્વારા પ્રકાશિત કરેલા અહેવાલ પ્રમાણે છેલ્લા 6 વર્ષમાં દેશમાં રોજગારમાં 90 લાખનો ઘટાડો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આઝાદ ભારતના ઇતિહાસમાં આ પહેલીવાર છે કે જ્યારે રોજગારીમાં આ રીતે ઘટાડો જોવા મળ્યો છે.


રિપોર્ટ અનુસાર આંકડા વર્ષ 2011-12 અને 2017-18ની વચ્ચેના છે. જો બીજી રીતે જોઈએ તો 2011-12 અને 2017-18 વચ્ચે દર વર્ષે 26 લાખ લોકોએ નોકરી ગુમાવી છે. આ રિપોર્ટને સંતોષ મેહરોત્રા અને જેકે પારિદાએ સેન્ટર ઓફ સસ્ટેનેબલ ઇમ્પ્લોયમેન્ટ માટે તૈયાર કર્યો છે. જણાવી દઈએ કે સંતોષ મેહરોત્રા જેએનયુમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર છે. જ્યારે જેકે પારિદાભી પંજાભ યુનિવર્સિટીમાં છે.