Fact Check: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને યુપીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવનો એક કથિત ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. તસવીરમાં સીએમ યોગી સપા નેતા અખિલેશ યાદવ સાથે સેલ્ફી લેતા જોવા મળે છે. આ તસવીર શેર કરીને યુઝર્સ દાવો કરી રહ્યા છે કે સીએમ યોગીએ પ્રયાગરાજ મહાકુંભ 2025માં અખિલેશ યાદવ સાથે સેલ્ફી લીધી હતી.

Continues below advertisement

પીટીઆઈ ફેક્ટ ચેકે તપાસ કરી અને વાયરલ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું.  તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ ફોટો AI દ્વારા જનરેટ કરવામાં આવ્યો છે, જેને યુઝર્સ ખોટા દાવા સાથે શેર કરી રહ્યા છે.

દાવો:

Continues below advertisement

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર, યુઝર ટિંકુ યાદવે 26-1-2025 ના રોજ વાયરલ થયેલી તસવીર શેર કરી અને લખ્યું, "યોગીજીએ પ્રયાગરાજ મહાકુંભમાં અખિલેશ ભૈયા સાથે સેલ્ફી લીધી, કોમેન્ટ કરો અને જણાવો કે તે સાચું છે કે ખોટું (jay shree hanuman ji maharaj) ” પોસ્ટ ની લિંક, આર્કિઈવ લિંક અને સ્ક્રીનશોટ અહીં જુઓ.

તે જ સમયે, અન્ય એક યૂઝરે સમાજવાદી એક સોચએ 17-2-2025 ના રોજ વાયરલ થયેલી તસવીર શેર કરી અને લખ્યું, "આ તસવીર વિશે તમે શું કહેશો?" પોસ્ટ લિંક,  લિંક, આર્કાઇવ  લિંક અને સ્ક્રીનશોટ અહીં જુઓ.

તપાસ:

પીટીઆઈ ફેક્ટ ચેક ડેસ્ક દ્વારા વાયરલ ફોટોની સત્યતા જાણવા માટે સંબંધિત કીવર્ડ્સ શોધાયા પરંતુ તેમને વાયરલ દાવાની પુષ્ટિ કરતા કોઈ સમાચાર મળ્યા નહીં. તસવીરને ધ્યાનથી જોયા પછી, લાગ્યું કે વાયરલ તસવીર AI દ્વારા બનાવવામાં આવી હોવાની શક્યતા છે.

તપાસને વધુ વિસ્તૃત કરવા માટે, પીટીઆઈએ AI ડિટેક્ટર ટૂલ Sightengine નો ઉપયોગ કરીને સ્કેન કર્યું. તપાસમાં જાણવા મળ્યું કે આ ફોટો કદાચ AI ટૂલ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો હતો. Sightengine પર મળેલા પરિણામો અનુસાર, વાયરલ ફોટો 78 ટકા AI જનરેટ થયેલ છે. પરિણામનો સ્ક્રીનશોટ અહીં જુઓ.

તે જ સમયે, વાયરલ તસવીરની સત્યતા જાણવા માટે,  બીજા AI ડિટેક્ટર ટૂલ 'Wasitai' ની મદદ લીધી, "Wasit" ના મતે પણ આ તસવીર કદાચ AI દ્વારા બનાવેલી છે. પરિણામનો સ્ક્રીનશોટ અહીં જુઓ.

પીટીઆઈએ સીએમ યોગી આદિત્યનાથ અને સપા નેતા અખિલેશ યાદવના બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ તપાસ્યા, પરંતુ તેમને આ વાયરલ ફોટો ક્યાંય મળ્યો નહીં. અત્યાર સુધીની તપાસ પરથી એ સ્પષ્ટ થયું છે કે સીએમ યોગી અને અખિલેશ યાદવની આ વાયરલ સેલ્ફી કદાચ AI ટૂલ્સની મદદથી તૈયાર કરવામાં આવી છે અને તેને ખોટા દાવા સાથે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે.

દાવોસીએમ યોગી આદિત્યનાથે સપા નેતા અખિલેશ યાદવ સાથે સેલ્ફી લીધી.

હકીકતપીટીઆઈ ફેક્ટ ચેકમાં વાયરલ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું.

નિષ્કર્ષઅમે સીએમ યોગી આદિત્યનાથ અને સપા નેતા અખિલેશ યાદવના બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ શોધ્યા, પરંતુ અમને આ ફોટો ક્યાંય મળ્યો નહીં. અમારી અત્યાર સુધીની તપાસ પરથી એ સ્પષ્ટ થયું છે કે સીએમ યોગી અને અખિલેશ યાદવની આ વાયરલ સેલ્ફી કદાચ AI ટૂલ્સની મદદથી તૈયાર કરવામાં આવી છે અને તેને ખોટા દાવા સાથે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે.

(ડિસ્ક્લેમર: આ સમાચારનું ફેક્ટ ચેક PTI NEWSએ કર્યુ છે, એબીપી અસ્મિતાએ શક્તિ કલેક્ટિવની સાથે ભાગીદારી અંતર્ગત આ ફેક્ટ ચેકમાં કોઇપણ ફેરફાર વિના પુનઃપ્રકાશિત કર્યુ છે)