નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર હાલમાં એક અજીબોગરીબ દાવો વાયરલ થઈ રહ્યો છે. એક સમચાર પત્રની કટિંગની સાથે ઇન્ટરનેટ પર અનેક પોસ્ટ સામે આવી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે જો પ્રવાસી સૂતા સૂતા પ્રવાસ કરવા માગે છે તો રેલવે તેમની પાસેથી 10 ટકા વધારે ભાડુ લેશે. સમચાર પત્રમાં પ્રકાશિત હેડિંગ પણ કંઈક આવો જ દાવો કરે છે. અહેવાલમાં આ નિર્ણયને લઈને પ્રસ્તાવ લાવવાની વાત પણ કહેવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આ અહેવાલ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. 


જોકે સોશિયલ મીડિયા પર કરવામાં આવેલ આ દાવો સંપૂર્ણ ખોટો છે. આ અમે નહીં પરંતુ કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત આવતા પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો એટલે કે પીઆઈબીએ પોતાના ટ્વીટમાં કહી છે. 


પીઆઈબી ફેક્ટ ચેક અનુસાર આ ભ્રામક દાવો છે, રેલવે બોર્ડને માત્ર આવી એક ભલામણ આપવામાં આવી હતી, રેલવે મંત્રાલયે આવી કોઈ જાહેરાત કરી નથી. પીઆઈબીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જે પ્રવાસી ટ્રેનમાં સૂતાં સૂંતા પ્રવાસ કરવા માગે છે તેમને 10 ટકા વધારે ભાડુ ચૂકવવું પડી શકે છે. આ દાવો ભ્રામક છે. 




નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.