નવી દિલ્હીઃ કોરોના સંકટના કારણે મહિનાઓ સુધી બંધ રહેલી ભારતીય રેલવે હાલ ફરી શરૂ થઈ ગઈ છે. જોકે પેસેન્જર ટ્રેન હજુ પહેલાની જેમ દોડી રહી નથી. આગામી થોડા દિવસોમાં બજેટ આવી રહ્યું છે. આ દરમિયાન રેલવે ભાડું વધારવા વિચારી રહી છે. આ અંગેનો એક અહેવાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જે બાદ સરકારે સ્પષ્ટતા કરવી પડી હતી.


સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, કેટલાક મીડિયામાં એવા અહેવાલ આવ્યા છે કે 6 જાન્યુઆરી, 2021થી રેલવે ભાડું વધારી રહી છે. પીઆઈબી ફેક્ટ ચેકે આ અહેવાલનું ખંડન કર્યું હતું. પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટ કરીને લખ્યું, આ અહેવાલ ખોટા છે. ભાડા વધારાનો કોઈ મામલો વિચારણા હેઠળ નથી.



પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.