નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર અવારનવાર કોઇને કોઇ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. હાલ એક ખબર વાયરલ થઈ રહી છે, જેમાં મોદી સરકાર દરેકના ખાતામાં એક લાખ રૂપિયા જમા કરાવતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મેસેજ વાયરલ થયા બાદ સરકારે આ અંગે સ્પષ્ટતા કરવી પડી હતી.


એક વોટ્સએપ મેસજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી સૌનો સાથ સૌનો વિકાસ યોજના અંતર્ગત તમામ લોકોના ખાતામાં એક લાખ રૂપિયા જમા કરાવી રહી છે. આ ખબર વાયરલ થયા બાદ  પીઆઈબી ફેક્ટચેકે ટ્વિટ કરીને લખ્યું, આ દોવો ફેક છે. કેન્દ્ર સરકારા દ્વારા આવી યોજના સંબંધિત કોઇ જાહેરાત કરવામાં આવી નથી.



પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ શંકાસ્પદ સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો અથવા pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.