મુંબઈ: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના ગોરેગાંવના એક સ્ટૂડિયોમાં ભીષણ આગ લાગી છે. જાણકારી મુજબ, હાલ ઘટનાસ્થળ પર આઠ ફાયરબ્રિગેડની ગાડીઓ હાજર છે. હાલ સુધી જે સૂચના મળી રહી છે તે મુજબ કોઈ જાનહાનીના સમાચાર નથી.


મુંબઈના અંધેરી વિસ્તારમાં મંગળવારે સવારે એક છ માળની બિલ્ડિંગમાં આગ લાગી હતી. ફાયરવિભાગના એક અધિકારીઓ આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે અંધેરીમાં એખ ઔદ્યોગિક ક્ષેત્રમાં સ્થિત લક્ષ્મી પ્લાઝા બિલ્ડિંગમાં લાગેલી આગમાં કોઈ ઘાયલ નથી થયું. ફાયર વિભાગને સવારે 11.15 વાગ્યે આગ લાગવાની જાણકારી મળી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સામાન્ય આગ હતી. તેમણે જણાવ્યું કે બપોરે દોઢ વાગ્યા સુધીમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આગ લાગવાનું કારણ સામે નથી આવ્યું.