શુક્રવારે આશરે 12 વાગ્યે 33 વર્ષના જનરલ મેનેજર ભરત જેએ જવાહરલાલ નેહરૂ મેટ્રો સ્ટેશન પર મેટ્રો ટ્રેન સામે કુદી જીવ આપી દિધો હતો. સાંજે તેના પત્નિએ દિકરી સાથે આત્મહત્યા કરી લીધી હતી. ભરત જેનો પરિવાર નોઈડાના સેક્ટર 128માં જેપી પેવેલિયન કોર્ટ-8માં 701 નંબરના ફ્લેટમાં રહેતો હતો, જ્યાં પત્ની અને દિકરીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, પ્રારંભિક તપાસમાં પરિવારમાં કોઈ પ્રકારના તણાવ હોવાની વાત નથી ખબર પડી. પોલીસને જાણ થતા ઘટનાસ્થળે પહોંચી મા અને દિકરીના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. પોલીસ પાસેથી મળેલી જાણકારી અનુસાર ભરત જે પોતાની પત્ની અને બાળક સાથે સપ્ટેમ્બર 2019માં ભારતમાં શિફ્ટ થયા હતા.