રક્ષા પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ કહ્યું કે, તંગધારમાં સવારે ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા આતંકીઓને સુરક્ષાદળે નિષ્ફળ કર્યા છે. જેમાં પાંચ આતંકીઓને પણ ઠાર કર્યા છે, ઓપરેશ હજુ પણ ચાલું છે.
પવિત્ર મહિનો રમઝાનને જોતા કેન્દ્ર સરકારે એકતરફી સીઝફાયરની જાહેરાત કર્યા બાદ નિયંત્રણ રેખા પાસે ઘુસણખોરી કરવાનો આ પ્રથમ બનાવ છે. જો કે, આ અગાઉ પણ સેનાના કેટલાક જવાનોએ થોડાક દિવસ પહેલા સરહદ પાસે કેટલાંક આતંકીઓને જોયા હતા પરંતુ ફાયરિંગ બાદ તેઓ ત્યાંથી ભાગી ગયા હતા.