પટનાઃ બિહારના બાહુબલી નેતા અને સીવાનનાપૂર્વ આરજેડી સાંસદ શહાબુદ્દીનને 11 વર્ષ જમાન મળ્યા બાદ જેલમુક્તિ મળી છે. પટના હાઈકોર્ટમાંથી રાજીવ રોશન મર્ડર કેસમાં જમાનત મળ્યા બાદ શહાબુદ્દીનની ભાગલપુર જેલમાંથી મુક્ય થયા. રાજ્ય સરકારના અનેક મંત્રી અને ધારાસભ્ય પણ શહાબુદ્દીનનું સ્વાગતકરવા પહોંચ્યા હતા.


ભાગલપુર જેલમાં બંધ શહાબુદ્દીનના સ્વાગત માટે રાતથી જ સમર્થકો જેલની બહાર જમા થઈ ગયા હતા. વર્ષ 2014ના રાજીવ રોશન હત્યાકાંડમાં શહાબુદ્દીનને જમાનત મળી હતી ત્યાર બાદ જેલથીમાં બહાર આવવાનો રસ્તા સાફ થઈ ગયો હતો. રાજીવ રોશન 2004માં બે ભાઈઓ ગિરિશ રાજ અને સતીશ રાજની હત્યાના મામલે સાક્ષી હતા.

ભાગલપુર જેલથી બહાર આવ્યા બાદ શહાબુદ્દીને કહ્યું કે, લાલુ યાદવ જ મારા નેતા છે. નીતીશ કુમાર પરિસ્થિઓના મુખ્યમંત્રી છે. બધા જાણે છે મને ફસાવવામાં આવ્યો છે.

બીજેપીએ શહાબુદ્દીન છોડવાવામાં આવ્યા તેને બિહારમાં ફરી જંગલ રાજની વાપસી ગણાવી હતી. બીજેપીએ કહ્યું કે, શહાબુદ્દીન છૂટવાથી ફરીથી ભયનું વાતાવરણ ઉભું થશે.