G-20 Summit Delhi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાનમાં ભારત મંડપમ ખાતે ચાલી રહેલી G-20 સમિટમાં ઉદ્ઘાટન ભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેમની સામે મૂકવામાં આવેલી પ્લેટ પર ભારત લખેલું હતું. આ દિવસોમાં ભારતમાં ભારત vs INDIAને લઈને જોરદાર ચર્ચા ચાલી રહી છે અને એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ઈન્ડિયાનું નામ બદલીને ભારત કરવામાં આવી શકે છે.


આ સાથે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ સોશિયલ મીડિયા સાઈટ X (અગાઉ ટ્વિટર) પર આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેણે લખ્યું, "આશા અને વિશ્વાસનું નવું નામ - ભારત." હકીકતમાં, જ્યારે કોઈ દેશની સત્તાવાર મીટિંગ હોય છે, ત્યારે તેના પ્રતિનિધિની આગળ પ્લેટ પર તે દેશનું નામ પણ લખવામાં આવે છે, જે દર્શાવે છે કે મીટિંગમાં હાજર વ્યક્તિ તે દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે.


G-20 સમિટની બેઠકમાં PM મોદીની સામે મૂકવામાં આવેલી પ્લેટ પર ઈન્ડિયાને બદલે અંગ્રેજીમાં BHARAT લખેલું જોવા મળ્યું હતું. આવી સ્થિતિમાં દેશનું નામ બદલવાની અફવાઓ સાચી છે કે કેમ તે અંગે ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.


 






વિવાદ ક્યારે થયો?


દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જ્યારે ડિનર માટે આમંત્રણ મોકલ્યું ત્યારે દેશનું નામ બદલવાની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. મંગળવારે મોકલવામાં આવેલા આ ડિનરના આમંત્રણમાં પ્રેસિડન્ટ ઓફ ઈન્ડિયાને બદલે પ્રેસિડન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું હતું. આ પછી વિપક્ષી નેતાઓએ મોદી સરકારનો જોરદાર વિરોધ કર્યો અને પ્રતિક્રિયાઓ આપી. તેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટીના નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓને રાજકીય વિવાદોથી દૂર રહેવાની સૂચના આપી હતી.




રાહુલ ગાંધીએ કહ્યું- વિદેશી મહેમાનોથી ભારતની વાસ્તવિકતા છુપાવવાની જરૂર નથી

રાહુલ ગાંધીએ જી20 સમિટને કારણે દિલ્હીમાં ઝૂંપડપટ્ટીઓ અને પ્રાણીઓને છુપાવવા પર એક્સ (જૂનું ટ્વિટર) કર્યું છે. તેમણે કહ્યું, "ભારત સરકાર આપણા ગરીબ લોકો અને પ્રાણીઓને છુપાવી રહી છે. આપણા મહેમાનોથી ભારતની વાસ્તવિકતા છુપાવવાની જરૂર નથી.