નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર એક પત્ર વાયરલ થઈ રહ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, આ પત્ર મંત્રી રાજનાથ સિંહે પીએમ મોદીને લખ્યો છે.


પત્રના આધારે કેટલાક યૂઝર સશિયલ મીડિયા પર એવો દાવો કરી રહ્યા છે કે, સેના પ્રમુખ જનરલ મનોજ નરવણે અને લેફ્ટનન્ટ જનરલ હરિંદર સિંહ, ભારત-ચીન સરહદ વિવાદમાં બેદરકારી રાખવા બદલ દોષી જણાયા છે. માટે CDS જનરલ બિપિન રાવતના મતે આ બન્ને અધિકારીઓને બરખાસ્ત કરવા જોઈએ.



જોકે દાવા સાથે જોડાયેલ એક પણ અહેવાલ ગૂગલ સર્ચ કરવા પર ક્યાંય જોવા મળ્યો નથી. આ મામલે હવે ખુદ ભારત સરકારે જ સ્પષ્ટતા કરી છે.

ભારત સરકારના સ્તતાવાર ટ્વિટર હેન્ડલ પીઆઈબી ફેક્ટ કેચે ટ્વીટ કરીને આ પત્રને ફેક ગણાવ્યો છે. પીઆઈબીએ ટ્વીટ કરીને કહ્યું કે, આવો કોઈ પત્ર લખવામાં આવ્યો નથી. આવી અફવાઓથી સાવધાન રહેવું.