નવી દિલ્લીઃ ભારત સરકારના આર્થિક બાબતોના સચિવ શક્તિકાંત દાશે આજે પ્રેસ કૉંફરન્સ મોટી જાહેરાત કરી ખેડૂતોને રાહત આપી હતી. સરકારે ખેડૂતોને રાહત આપતા ખેડૂતો પોતાના બેંક અકાઉન્ટ્સમાથી એક અઠવાડીયામાં 25000 રૂપિયા ઉપાડી શકશે. ખેડૂતો આ રકમ ચેક અને ક્રેડીટ કાર્ડથી આ રકમ ઉપાડી શકશે


કેંદ્રની મોદી સરકારે 500 અને 1000 ની નોટો પર પ્રતિબંધ મુકતા લોકોને હાલાકી ભોગવી પડે છે. ત્યારે સરકારે લોકોને રાહત આપતી અનેક જાહેરાતો કરી હતી. જેમા ખેડૂતો ખાસ રાહત આપવામાં આવી હતી.