નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એવામાં સરકારનું માનવું છે કે, કોરોના સંક્રમણની ગતિ પર એક રીતે નિયંત્રણ લાવી દીધું છે. પરંતુ આ વાયરસને કારણે અત્યાર સુધીમાં વેપાર ધંધા પર ગંભીર અસર જોવા મળી છે જ્યાં હજુ પણ દુકાનો બંધ છે. ત્યારે કેટલાક દિવસ પહેલા જ અનેક રાજ્યોએ છૂટછાટ આપતા જરૂરી સામાનની દુકાનો ખોલવાની જાહેરાત કરી હતી જેમાં શાકભાજી, મેડિકલ અને અન્ય  જરૂરી દુકાનો સામેલ હતી. પરંતુ હવે ગૃહ મંત્રાલયે એક નવા આદેશમાં 24 એપ્રિલે કહ્યું કે, તમામ સંબંધિત રાજ્યો અને કેન્દ્ર શાશિત પ્રદેશોમાં જરૂરી સાવચેતીને ધ્યાનમાં રાખથા 50 ટકા સ્ટાફ સાથે દુકાનો સંસ્થાઓ ખોલી શકાય છે.


જોકે કેન્દ્ર સરકારે જે દુકાનો ચાલુ કરવીની છૂટ આપી છે તેમાં અંતિમ નિર્ણય રાજ્ય સરકારોએ કરવાનો છે ત્યારે ગુજરાતમાં રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત એમ 4 મહાનગરોને છોડીમાં તમામ જગ્યાએ કેન્દ્ર સરકારના નવા આદેશ અનુસાર દુકાનો ખોલવાની છૂટ આપવામાં આવી છે.

કેન્દ્ર સરકારના નોટિફિકેશન અનુસાર ગ્રામિણ વિસ્તારની તમામ દુકાનો ખુલી શકશે. શોપિગ મોલ જેવા વિસ્તારની ગ્રામિણ દુકાનો નહીં ખુલે. શહેરી વિસ્તારમાં એકલ-દોકલ દુકાનો શરુ કરી શકાશે. શહેરમા રેસિડન્સ કોમ્પલેકસની દુકાનો ખુલી શકાશે . શહેરી વિસ્તારમાં માર્કેટ કોમ્પલેક્સમાં દુકાનો નહી શરુ થઇ શકે. શહેરી વિસ્તારમાં મલ્ટી બ્રાન્ડ અને સિંગલ બ્રાન્ડ નહીં શરુ થઇ શકે ઇ-કોર્મસ કંપની જીવન જરુરી ચીજ વસ્તુ પુરી પાડી શકશે. હોટેલમાં દારુની શોપ નહીં ખુલી શકાય . હોટ સ્પોટ અને બફર ઝોનમાં કોઇ દુકાન નહી ખુલી શકે.

શું બંધ રહેશે ?

  • નપા અને મનપાની અંદર આવતા માર્કેટ, મોલ

  • સિનેમા હૉલ, મૉલ, શૉપિંગ કૉમ્પલેક્સ, જિમ

  • સ્પોર્ટ્સ, કૉમ્પલેક્સ, સ્વિમિંગ પૂલ

  • એન્ટરટેઇનમેન્ટ પાર્ક, થિયેટર, બાર

  • ઑડિટોરિયમ, એસેમ્બલી હૉલ બંધ રહેશે

  • મોટી દુકાનો, અને અઠવાડિયામાં એક વખત ખુલતા બજારો બંધ રહેશે

  • નૉન હૉટસ્પોટ વિસ્તારમાં સલૂન અને બ્યૂટી પાર્લર પણ ખોલી શકાશે નહીં.


જોકે કેન્દ્ર સરકારે અંતિમ નિર્ણય રાજ્ય સરકારને કરવા જણાવ્યું છે ત્યારે ગુજરાતમાં હેર કટીંગ સલૂન-બાર્બર શોપ તેમજ પાન-ગુટકા-સિગારેટનું વેચાણ કરતી દુકાનો અને ટી-સ્ટોલ તથા રેસ્ટોરન્ટ અને હોટલ્સ બંધ રહેશે.