Baba Ram Rahim News:રોહતકની સુનારિયા જેલમાં બંધ ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને 40 દિવસ માટે પેરોલ આપવામાં આવ્યો છે. પેરોલ સમયગાળા દરમિયાન તેઓ હરિયાણાના સિરસામાં ડેરા સચ્ચા સૌદામાં રહેશે. અહેવાલો અનુસાર, ગુરમીત રામ રહીમને ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી મુક્ત કરવામાં આવશે. બે સાધ્વીઓ પર દુષ્કર્મ અને પત્રકાર છત્રપતિની હત્યાના કેસમાં સજા કાપી રહેલા રામ રહીમને આ રાહત આપવામાં આવી છે.

Continues below advertisement

પેરોલનો નિર્ણય અને ભૂતકાળનો રેકોર્ડગુરમીત રામ રહીમને અગાઉ ઘણી વખત પેરોલ અને ફરલો મંજૂર કરવામાં આવ્યા છે. તેમને છેલ્લે 15 સપ્ટેમ્બરના રોજ 40 દિવસના પેરોલ મંજૂર કરવામાં આવ્યા હતા. આ 40 દિવસનો પેરોલ રામ રહીમની જેલમાંથી 15મી મુક્તિ હશે. અગાઉ, જ્યારે તેમને 21 દિવસ અને 40 દિવસ માટે પેરોલ મંજૂર કરવામાં આવ્યા હતા, ત્યારે તેઓ સિરસામાં તેમના ડેરામાં રોકાયા હતા. આ વખતે, વહીવટીતંત્રે સ્પષ્ટતા કરી છે કે, તેમના પેરોલ સમયગાળા દરમિયાન તેમનું નિવાસસ્થાન સિરસાના ડેરામાં રહેશે.

રામ રહીમ કયા કેસોમાં સજા કાપી રહ્યા છે?રામ રહીમને બે 20 વર્ષિય  સાધ્વીઓ પર દુષ્કર્મના આરોપમાં સીબીઆઈ કોર્ટે દસ વર્ષની સજા ફટકારી હતી, . ત્યારબાદ, સીબીઆઈ કોર્ટે પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા કેસમાં તેમને દોષિત ઠેરવ્યા અને સજા ફટકારી. રામ રહીમને ડેરા મેનેજર રણજીત સિંહની હત્યા કેસમાં પણ દોષિત ઠેરવવામાં આવ્યો છે. તે હાલમાં આ બધા કેસોમાં રોહતકની સુનારિયા જેલમાં સજા કાપી રહ્યો છે.

Continues below advertisement

પેરોલ અને સરકારના વલણ પર પ્રશ્નો ઉઠાવાયારામ રહીમના વારંવાર પેરોલ અને ફરલો અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. પત્રકાર છત્રપતિના પુત્ર અંશુલે પણ તેમના પેરોલ સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, રામ રહીમ કોઈ સામાન્ય કેદી નથી પરંતુ એક કટ્ટર ગુનેગાર છે. જો કે, હાઈકોર્ટમાં દાખલ કરાયેલા સોગંદનામામાં, હરિયાણા સરકારે રામ રહીમને કટ્ટર ગુનેગાર ગણાવવાનો ઇનકાર કર્યો છે. સરકારનો દાવો છે કે રામ રહીમ જેલમાં સારા વર્તનનો કેદી છે, આવા કેદીને જેલના નિયમો મુજબ કેદીને દર વર્ષે 90 દિવસ સુધી પેરોલ મેળવવાની મંજૂરી મળે છે.