નવી દિલ્હીઃ દેશની સૌથી પ્રતિષ્ઠિત સિવિલ સર્વિસેઝ પરીક્ષાને લઈ સોશિયલ મીડિયા પર એક દાવો વાયરલ થયો છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો છે કે, યુપીએસસી પરીક્ષા માટે જનરલ કેટેગરીના ઉમેદવારોની વય મર્યાદા 32 વર્ષથી ઘટાડીને 26 વર્ષ કરી દેવામાં આવી છે. વાયરલ ખબરની સાથે એક ન્યૂઝપેપરનું કટિંગ પણ છે.  વાયરલ ખબરને વાંચતા ખબર પડે છે કે તેમાં વય મર્યાદા ઘટાડાવની માત્ર સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એવું નથી લખ્યું કે UPSCએ વય મર્યાદા ઘટાડી દીધી છે.


પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટર હેન્ડલ પરથી લખ્યું છે કે, એક ન્યૂઝ આર્ટિકલમાં દાવો કરવામાં આવ્યો છે કે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે યુપીએસસી સિવિલ પરીક્ષા આપવાની મહત્તમ ઉંમર 32 વર્ષથી ઘટાડીને 26 વર્ષ થવા જઈ રહી છે. પીઆઈબી ફેક્ટ ચેકે લખ્યું, આ દાવો નકલી છે. યુપીએસસી દ્વારા આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.



પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી/સ્કીમ્સ/વિભાગ/મંત્રાલયોને લઈને ખોટી જાણકારીને ફેલાતી રોકવાનું કામ કરે છે. સરકાર સાથે જોડાયેલ કોઈપણ પણ સમાચાર સાચા છે કે ખોટા એ જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે.

અમેરિકામાં ભારતીય મૂળની કિશોરીએ કોવિડ-19ના સંભિવત ઉપચારની શોધ માટે જીત્યું 25 હજાર ડોલરનું ઈનામ, જાણો વિગતે

કોરોનાવાયરસઃ અમદાવાદ માટે શું છે રાહતના સમાચાર, કયા ઝોનમાં કેટલા છે એક્ટિવ કેસ, જાણો વિગત

UPના આ ધારાસભ્યે લોકપ્રિય ગાયિકાને હોટલમાં બોલાવી બાંધ્યા શારીરિક સંબંધ, વીડિયો કોલ પર ગાયિકાને નગ્ન થવાનું કહેતા ને..






Education Loan Information:

Calculate Education Loan EMI