Ideas of India Summit 2025: આઈડિયાઝ ઓફ ઈન્ડિયા સમિટ 2025ના બીજા દિવસે એટલે કે આજે કુલ 17 સત્રો હશે. દિવસની શરૂઆત 'Mastering the Mind-Living Our Best Lives' વિષય પર એક સત્રથી થઈ. જેમાં મોટીવેશનલ સ્પિકર ગૌર ગોપાલ દાસે પોતાની વાત રજુ કરી,
ગૌર ગોપાલ દાસની ટિપ્સ'માઇન્ડ માસ્ટરિંગ - લિવિંગ અવર બેસ્ટ લાઇવ્સ' સત્રમાં મોટીવેશનલ સ્પિકર ગૌર ગોપાલ દાસ પોતાના પર નિયંત્રણ અંગે ટિપ્સ આપી છે. તેમણે કહ્યું કે આજના સમયમાં મનને શાંત રાખવું ખૂબ જ જરૂરી છે. મનને આરામ આપવાની જરૂર છે. ફક્ત આ જ તમારા મનને સ્વસ્થ રાખશે.
ગૌર ગોપાલ દાસે સફળતાનો અર્થ સમજાવ્યોસફળતાના અર્થ વિશે વાત કરતાં ગૌર ગોપાલ દાસ કહે છે કે આજના સમયમાં આપણે વધુને વધુ વસ્તુઓ પ્રાપ્ત કરવાને સફળતા માનીએ છીએ, પરંતુ બધું જ થાય તો પણ જો આપણે ઊંઘી શકતા નથી, આપણું મન શાંતિમાં નથી, તો આપણે તેને સફળતા નહીં કહીએ. તેમણે કહ્યું, 'સફળતામાં શાંતિ અને શાંતિમાં સફળતા વચ્ચેનું સંતુલન જ સફળતા છે.'
આઈડિયાઝ ઓફ ઈન્ડિયા સમિટના ચોથા સંસ્કરણનું ABP નેટવર્ક દ્વારા હોસ્ટ કરવામાં આવી રહ્યું છે. આજે (22 ફેબ્રુઆરી) બીજો દિવસ છે. પહેલા દિવસે 16 સત્રોમાં રાજકારણ, ઉદ્યોગ અને કલા જગતના ઘણા અગ્રણી ચહેરાઓએ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા. હવે બીજા દિવસે પણ ઘણી મોટી હસ્તીઓ વક્તા તરીકે જોવા મળશે. આજે ૧૭ સત્રો યોજાશે. આમાં બોલિવૂડ અભિનેતા આમિર ખાન, પટનાના પ્રખ્યાત કોચિંગ શિક્ષક 'ખાન સર'નો સમાવેશ થશે.
કોણ કોણવક્તાઓ હશે?ત્રીજું સત્ર '2The Twenty-First Century Indian - Learning to Survive': શિક્ષક અને સામાજિક કાર્યકર ખાન સરચોથું સત્ર 'અ પ્લેસ ઇન ધ સન - ધ નેક્સ્ટ જનરેશન પોલિટિશિયન્સ': કોંગ્રેસના નેતા સચિન પાયલટ વક્તા રહેશે.પાંચમું સત્ર 'Building Developed India- Becoming Atmanirbhar': કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલછઠ્ઠું સત્ર 'હીલિંગ પાવર ઓફ મ્યુઝિક - ટચિંગ ધ ડિવાઈન વીઈન': સંગીત નિર્માતા મહેશ રાઘવન, શાસ્ત્રીય ગાયક નિરાલી કાર્તિક, સિતારવાદક મહેતાબ નિયાઝી
આ પણ વાંચો....