પત્રમાં લોકસભા સ્પીકરે સીએએને સમજાવતા કહ્યું કે, આ પાડોશી દેશોમાં ધાર્મિક ઉત્પીડનનો શિકાર થયેલા લોકોને સરળતાથી નાગરિકતા માટે છે નહી કે નાગરિકતા છીનવવા માટે. જેને ભારતીય સંસદમાં બંન્ને ગૃહમાંથી ચર્ચા બાદ પાસ કરવામાં આવ્યું છે. ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયનનો સભ્ય હોવાના કારણે ખાસ કરીને લોકતંત્રમાં અમે એકબીજાની સંપ્રભ પ્રક્રિયાનું સમાન કરવું જોઇએ.
વાસ્તવમાં યુરોપિયન સંસદ ભારતના નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ ચર્ચા અને મતદાન કરશે જ્યાં મોટાભાગના સભ્યો તેના વિરોધમાં છે. યુરોપિયન સંઘમાં અલગ અલગ જૂથોએ આ પ્રકારના છ પ્રસ્તાવ રાખ્યા છે. સંસદમાં આ સપ્તાહની શરૂઆતમાં યુરોપિયન યુનાઇટેડ લેફ્ટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેના પર બુધવારે ચર્ચા બાદ મતદાન થશે.