Independence Day 2022: ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ એવી છે જે હવે સમગ્ર વિશ્વમાં ફેમસ  થઈ ગઈ છે. આપણે બધા ભારતના રિવાજો અને પરંપરાઓને ખૂબ જ વૈવિધ્યસભર અને અનન્ય  છે.  પરંતુ ભાગ્યે જ આપણે ધ્યાનમાં લઈએ છીએ કે આ વસ્તુઓ ચોક્કસ રીતે શા માટે કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ અનેક અનોખા રિવાજો અને પરંપરાઓથી ભરેલી છે. ભારતની આ સંસ્કૃતિ બહારના લોકો માટે ખૂબ જ રસપ્રદ છે. આમાંના મોટાભાગની પરંપરા  પ્રાચીન ભારતીય ગ્રંથોમાંથી ઉદ્ભવ્યા છે. ભારતની સંસ્કૃતિ એ વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિઓમાંની એક છે જેની શરૂઆત લગભગ 4,500 વર્ષ પહેલા થઈ હતી. ચાલો જાણીએ ભારતની એવી સંસ્કૃતિ અને પરંપરાઓ જે તમે માત્ર ભારતમાં જ જોઈ શકશો.


અભિવાદન નમસ્તે


અભિવાદન નમસ્તેથી કરવું એ  ભારતીય રિવાજોમાં સૌથી વધુ લોકપ્રિય છે અને આ  આદર દર્શાવવાની એક પ્રાચીન રીત છે. નમસ્તે અથવા નમસ્કાર એ પ્રાચીન હિંદુ ગ્રંથો, વેદોમાં વર્ણવેલ પરંપરાગત અભિવાદનનાં પાંચ સ્વરૂપોમાંનું એક છે. નમસ્તેનો અર્થ છે, હું તમને નમન કરું છું. એકબીજાને અભિવાદન કરવાની આ એક ભારતીય રીત છે.


 તહેવારો અને ધર્મો


ભારતમાં મોટી સંખ્યામાં તહેવારો ઉજવવામાં આવે છે, કારણ કે, ભારતમાં વિવિધ ધર્મ અને સંસ્કૃતિના લોકો હાજર છે. મુસ્લિમો ઈદ, ખ્રિસ્તીઓ ક્રિસમસ અને ગુડ ફ્રાઈડે ઉજવે છે. શીખો બૈસાખી અને તેમના ગુરુઓના જન્મદિવસની ઉજવણી કરે છે. હિન્દુઓમાં દિવાળી, હોળી, મકરસંક્રાંતિ અને જૈનો મહાવીર જયંતિ ઉજવે છે. તો બુદ્ધ ધર્મી બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરે છે. ભારતમાં આખા વર્ષ દરમિયાન વિવિધ તહેવારો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ પરંપરાઓ અને સંસ્કૃતિના કારણે ભારત વિશ્વના અન્ય દેશોથી અલગ છે.


 સંયુક્ત પરિવાર


સંયુક્ત કુટુંબનો ખ્યાલ ભારતમાં અસ્તિત્વમાં છે. સંયુક્ત કુટુંબમાં માતા-પિતા, પત્ની, બાળકો દાદા-દાદી અને ક્યારેક સંબંધીઓનો સમાવેશ થાય છે અને બધા સાથે રહે છે. સંયુક્ત કુટુંબમાં રહેવાથી અનેક પ્રકારની સમસ્યાઓ અને તણાવનો સામનો કરવામાં મદદ મળે છે. ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં સંયુક્ત કુટુંબની વ્યવસ્થા અને પ્રણાલી જોવા મળે છે.


વ્રત અને  ઉપવાસ


ઉપવાસ એ હિંદુ સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. ઉપવાસ  દેવી-દેવતાઓ પ્રત્યે તમારી કૃતજ્ઞતા વ્યક્ત કરવાની એક અદ્ભુત રીત છે. દેશભરમાં લોકો વિવિધ ધાર્મિક તહેવારો પર ઉપવાસ રાખે છે. કેટલાક લોકો અઠવાડિયાના અલગ-અલગ દિવસોમાં કોઈ ચોક્કસ દેવી-દેવતા માટે વ્રત પણ રાખે છે. એવું માનવામાં આવે છે કે ઉપવાસ કરવાથી શરીર પણ સ્વસ્થ રહે છે. ઉપરાંત, દેવી-દેવતાઓની પ્રાર્થના કરીને તમારા દુ:ખ અને પીડાને દૂર કરવાનો એક માર્ગ છે.


અરેંજ મેરેજ


 પ્રાચીન સમયમાં, રાજવી પરિવારોમાં કન્યા માટે સ્વયંવરનું આયોજન કરવામાં આવતું હતું. સ્વયંવર સમારોહમાં રાજ્યભરમાંથી કન્યા સાથે લગ્ન કરવા અથવા કન્યા પોતે પોતાનો આદર્શ વર પસંદ કરે તે માટે યુવાનો વચ્ચે વિવિધ પ્રકારની સ્પર્ધાઓ યોજવામાં આવતી હતી. . આજે પણ ભારતમાં એરેન્જ્ડ મેરેજને પસંદ કરવામાં આવે છે. તે ભારતીય પરંપરાઓનું અભિન્ન અંગ છે.


 અતિથિ દેવો ભવ


ભારતની સંસ્કૃતિમાં અતિથિ દેવો ભવનું ઘણું મહત્વ છે. અતિથિ દેવો ભવ એટલે કે અતિથિ ભગવાન સમાન છે. આ કહેવત હેઠળ એવું માનવામાં આવે છે કે, જે પણ મહેમાન આપણા ઘરે અથવા દેશમાં આવ્યા છે તે ભગવાન સમાન છે, તેનું સન્માન કરવું જોઈએ. મહેમાનને ક્યારેય અપમાનિત ન કરવા જોઈએ. અતિથિ દેવો ભવની સંસ્કૃતિને કારણે સમગ્ર વિશ્વમાં ભારતની એક અલગ ઓળખ છે.