Independence Day 2023: લાલ કિલ્લા પરથી PM મોદીની મોટી જાહેરાત, કહ્યુ- 'આગામી 15 ઓગસ્ટના રોજ હું ફરીથી આવીશ'

Independence Day 2023 Celebrations: આખો દેશ સ્વતંત્રતા દિવસના રંગોમાં રંગાઈ ગયો છે

gujarati.abplive.com Last Updated: 15 Aug 2023 09:15 AM
PM Modi Speech Live: 'હું આગામી 15 ઓગસ્ટે ફરી આવીશ'

પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે 2014માં મેં પરિવર્તન લાવવાનું વચન આપ્યું હતું. તમે દેશવાસીઓએ મારા પર વિશ્વાસ કર્યો. મેં તમને આપેલા મારા વચનને વિશ્વાસમાં ફેરવી દીધું. 2019માં પ્રદર્શનના આધારે તમે મને ફરીથી આશીર્વાદ આપ્યા. પરિવર્તને મને બીજી તક આપી. હું તમારા બધા સપના પૂરા કરીશ. 2047નું સપનું સાકાર કરવાની સૌથી મોટી સોનેરી ક્ષણ આવતા પાંચ વર્ષ છે. આગામી 15 ઓગસ્ટે આ લાલ કિલ્લા પરથી હું તમારી સામે દેશની ઉપલબ્ધિઓ અને વિકાસ રજૂ કરીશ. આગામી 15મી ઓગસ્ટે ફરી આવશે. હું ફક્ત તમારા માટે જ જીવું છું. જો હું પરસેવો પાડુ છું તો તમારા માટે પાડુ છું કારણ કે તમે મારો પરિવાર છો. હું તમારું દુ:ખ જોઈ શકતો નથી.





PM Modi Speech Live: 'વિકાસ માટે પરિવારવાદથી મુક્તિ જરૂરી છે'

વિપક્ષ અને કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું કે, દેશના વિકાસ માટે પરિવારવાદથી આઝાદી જરૂરી છે. તુષ્ટિકરણની રાજનીતિએ સામાજિક ન્યાયને મારી નાખ્યો. દેશ વિકાસ ઈચ્છે છે. દેશ 2047નું સપનું સાકાર કરવા માંગે છે. અમે કોઈપણ સંજોગોમાં ભ્રષ્ટાચાર સહન કરી શકતા નથી.

PM Modi Speech Live: 'ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તુષ્ટિકરણ... આપણે આ ત્રણેયથી છૂટકારો મેળવવો પડશે'

77માં સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું, હું ભ્રષ્ટાચાર સામે લડતો રહીશ. પરિવારવાદે આપણા દેશને લૂંટી લીધો છે.  ત્રીજી દુષ્ટતા તુષ્ટિકરણની છે. તે આપણા દેશ પર ડાઘ લગાવી દીધો છે. આપણે આ ત્રણેય દુષણો સામે આપણી પૂરી શક્તિથી લડવાનું છે. આપણે આ ત્રણ બુરાઈઓમાંથી મુક્તિ મેળવવાની છે.

PM Modi Speech Live: '2047માં વિશ્વમાં ભારતનો ધ્વજ વિકસિત ભારતનો તિરંગો હોવો જોઈએ'

પીએમ મોદીએ કહ્યું હતું કે સપના અનેક છે. સંકસ્પ સાથે છે. નીતિઓ સ્પષ્ટ છે. પરંતુ આપણે કેટલાક સત્યો સ્વીકારવા પડશે. આજે હું લાલ કિલ્લા પરથી તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. આજે આપણે કેટલીક બાબતોને ગંભીરતાથી લેવી પડશે. 2047 માં જ્યારે દેશ આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે, તે સમયે વિશ્વમાં ભારતનો ધ્વજ વિકસિત ભારતનો તિરંગો હોવો જોઈએ.

PM Modi Speech Live: 'ગામમાં બે કરોડ બહેનોને કરોડપતિ બનાવવાનું સપનું'

લાલ કિલ્લાની કિલ્લા પરથી પીએમ મોદીએ કહ્યું, મારું સપનું છે કે ગામમાં બે કરોડ બહેનો કરોડપતિ બને. એટલા માટે અમે નવી યોજના વિશે વિચારી રહ્યા છીએ. કૃષિ ક્ષેત્રે ટેકનોલોજી આવશે. અમે તેમને ડ્રોનની સેવા આપવા માટે તાલીમ આપીશું. દેશ દરેક ક્ષેત્રમાં વિકાસ કરી રહ્યો છે. દેશ આધુનિકતા તરફ આગળ વધી રહ્યો છે.

PM Modi Speech Live: ‘ભારતે મોંઘવારીને કાબૂમાં લેવાના ભરપૂર પ્રયાસો કર્યા’

પીએમ મોદીએ કહ્યું કે, અમે ભારતની નવી સંસદ સમય કરતા બનાવી છે. આ નવું ભારત છે. આ ભારત અટકતું નથી, આ ભારત થાકતું નથી અને આ ભારત હારતું નથી. મોંઘવારીએ આખી દુનિયાને પોતાની ઝપેટમાં લીધી છે પરંતુ ભારતે મોંઘવારી પર અંકુશ મેળવવા માટે ઘણા પ્રયાસો કર્યા. અમે દેશમાં ફુગાવાને કાબૂમાં લેવા માટે અનેક પગલાં લીધાં છે અને આ દિશામાં અમારા પ્રયાસો ચાલુ રહેશે.

PM Modi Speech Live: વિશ્વકર્મા યોજના આવતા મહિને શરૂ થશે

લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે આવતા મહિને તેઓ પરંપરાગત કૌશલ્ય ધરાવતા લોકો માટે વિશ્વકર્મા યોજના શરૂ કરશે. વિશ્વકર્મા યોજનામાં 15 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે. અમે આયુષ્માન ભારત યોજના હેઠળ 70 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.





PM Modi Speech Live: 'દેશવાસીઓને 10 વર્ષનો હિસાબ આપવો પડશે...'

પીએમ મોદીએ કહ્યું કે, 2014માં આપણે વિશ્વની અર્થવ્યવસ્થામાં 10મા નંબર પર હતા. આજે આપણે 5મા નંબરે પહોંચી ગયા છીએ. એમ જ નથી બન્યું. દેશને ભ્રષ્ટાચારે ભરડો લીધો હતો. હું દેશવાસીઓને 10 વર્ષનો હિસાબ આપી રહ્યો છું. અગાઉ ગરીબો માટે ઘર બનાવવા માટે 90 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આજે ચાર લાખ કરોડનો ખર્ચ થઈ રહ્યો છે. છેલ્લા સાડા પાંચ વર્ષમાં 13.50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.





PM Modi Speech Live: 'આપણે જે નિર્ણય લઈશું તે સોનેરી ઈતિહાસને જન્મ આપશે'

પીએમ મોદીએ કહ્યું હતું કે હું છેલ્લા 1000 વર્ષોની વાત એટલા માટે કરી રહ્યો છું કારણ કે હું જોઈ રહ્યો છું કે દેશની સામે ફરી એક વાર તક છે. અત્યારે આપણે જે યુગમાં જીવી રહ્યા છીએ, આપણે જે પણ કરીએ છીએ, આપણે જે પગલાં લઈએ છીએ અને એક પછી એક જે નિર્ણયો લઈએ છીએ તે એક સુવર્ણ ઈતિહાસને જન્મ આપશે.





PM Modi Speech Live: 'દેશમાં આજે તકોની કોઈ અછત નથી'

પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે, આજે જેટલુ સૌભાગ્ય દેશના યુવાનોને મળ્યું છે તે ભાગ્યે જ કોઈને મળે છે. આપણે તેને ગુમાવવું ન જોઈએ. આવનારો સમય ટેકનોલોજીથી પ્રભાવિત થવાનો છે. આપણાં નાનાં શહેરો અને નગરો વસ્તીમાં ભલે નાનાં હોય પણ તેમની ક્ષમતા કોઈથી ઓછી નથી. દેશમાં તકોની કોઈ અછત નથી.


 





PM Modi Speech Live: PM મોદીએ મણિપુર પર કરી વાત

પીએમ મોદીએ કહ્યું હતું કે ભૂતકાળમાં મણિપુરમાં હિંસાનો સમય હતો. પરંતુ થોડા દિવસોથી સતત શાંતિના સમાચાર આવી રહ્યા છે. દેશ મણિપુરના લોકોની સાથે છે. લોકોએ શાંતિના તહેવારને આગળ વધારવો જોઈએ. શાંતિથી જ માર્ગ મળશે. કેન્દ્ર અને રાજ્ય સરકારો શાંતિ જાળવવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે અને કરતી રહેશે.





PM Modi Speech Live: PM મોદીએ 10મી વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો

77માં સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો છે. આ સતત 10મી વખત છે જ્યારે પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પણ પોતાના 10 વર્ષના UPA કાર્યકાળમાં સતત 10 વખત તિરંગો ફરકાવ્યો હતો.


 





Independence Day 2023 Live: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તેમના નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

Independence Day Live: વડાપ્રધાન મોદી રાજઘાટ પહોંચ્યા



શ્રીનગરના લાલ ચોકમાં તિરંગો ફરકાવવામાં આવ્યો

Independence Day Live: 77માં સ્વતંત્રતા દિવસ પર શ્રીનગરના લાલ ચોકમાં તિરંગો ફરકાવવામાં આવ્યો


 


 





વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી

બ્રેકગ્રાઉન્ડ

Independence Day 2023 Celebrations: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશના 77મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરશે. સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદીનું આ સતત 10મું સંબોધન હશે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા યોજાનાર આ સંબોધન ઘણી રીતે ખાસ બની શકે છે. માનવામાં આવે છે કે આ દરમિયાન પીએમ મોદી પોતાની સરકારનું રિપોર્ટ કાર્ડ રજૂ કરવાથી લઈને ઘણી મોટી યોજનાઓની જાહેરાત કરી શકે છે. આખો દેશ મંગળવારે પીએમ મોદીના સ્વતંત્રતા દિવસના સંબોધનની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.


આપણે 15 ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મેળવી હતી.  ફરી એકવાર  શહીદોને યાદ કરવાનો પવિત્ર તહેવાર આવ્યો છે.


આખો દેશ સ્વતંત્રતા દિવસના રંગોમાં રંગાઈ ગયો છે. દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર યોજાનારી 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. જ્યાં મંગળવારે (15 ઓગસ્ટ) PM મોદી તિરંગો ફરકાવશે અને રાષ્ટ્રને સંબોધિત કરશે.


લાલ કિલ્લા પર કરાશે સ્વતંત્રતા દિવસની ઉજવણી


સવારે 6.55 - સંરક્ષણ સચિવ આવશે


સવારે 6.56 થી 7 - સીડીએસ અને ત્રણેય સેનાના વડાઓ આવશે


સવારે 7.06 વાગ્યે - PM રાજઘાટ પહોંચશે અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરશે


સવારે 7.08 કલાકે - સંરક્ષણ રાજ્ય મંત્રી આવશે


સવારે 7.11 - રક્ષા મંત્રી રાજનાથ સિંહ આવશે


સવારે 7.18 વાગ્યે - PMનું લાલ કિલ્લા પર આગમન અને પછી PM ને ​​ટ્રાઇ-સર્વિસ ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવશે


સવારે 7.30 - PM ધ્વજ ફરકાવશે, ગાર્ડ્સ નેશનલ સેલ્યૂટ આપશે.  બેન્ડ રાષ્ટ્રગીત વગાડશે, ત્યારબાદ 21 તોપોની સલામી અપાશે.


સવારે 7.33 – PM દેશને સંબોધન કરશે.


PM મોદીનું લાલ કિલ્લા પરથી સતત 10મું સંબોધન


વડાપ્રધાન મોદી સતત 10મી વખત લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરશે. આવતા વર્ષની લોકસભા ચૂંટણી પહેલા લાલ કિલ્લા પરથી આ તેમનું છેલ્લું સંબોધન હશે. લાલ કિલ્લા પર પહોંચવા પર પીએમનું સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, સંરક્ષણ રાજ્ય પ્રધાન અજય ભટ્ટ અને સંરક્ષણ સચિવ ગિરધર અરામને દ્વારા સ્વાગત કરવામાં આવશે. પીએમના ગાર્ડ ઓફ ઓનર ટુકડીમાં આર્મી, એરફોર્સ અને દિલ્હી પોલીસના એક-એક અધિકારી અને 25-25 જવાનો અને નૌકાદળના એક અધિકારી અને 24 જવાનો સામેલ હશે.


પીએમ રાષ્ટ્રધ્વજ ફરકાવશે


ગાર્ડ ઓફ ઓનરની કમાન મેજર વિકાસ સાંગવાનના હાથમાં રહેશે. આ પછી પીએમ લાલ કિલ્લા તરફ જશે, જ્યાં તેઓ રાષ્ટ્રધ્વજ ફરકાવશે. મેજર નિકિતા નાયર અને મેજર જાસ્મીન કૌર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં વડાપ્રધાનને મદદ કરશે. ધ્વજ ફરકાવ્યા બાદ તિરંગાને રાષ્ટ્રીય સલામી આપવામાં આવશે. આ દરમિયાન ભારતીય વાયુસેનાના બે હેલિકોપ્ટર માર્ક-3 ધ્રુવ સ્થળ પર પુષ્પવર્ષા કરશે. ત્યારબાદ PM મોદી સવારે 7:30 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે.


ખાસ મહેમાનોને આમંત્રિત કરાયા


77માં સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે ઘણી નવી પહેલ કરવામાં આવી છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે મોટી સંખ્યામાં મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સમારોહ માટે દેશભરમાંથી અલગ-અલગ વ્યવસાય સાથે જોડાયેલા 1800 લોકોને તેમના જીવનસાથીઓ સાથે વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે.


તેમાં સરપંચ, ખેડૂત ઉત્પાદક સંગઠન યોજના સાથે સંકળાયેલા લોકો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાના સહભાગીઓ, નવી સંસદ ગૃહ સહિત સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના બાંધકામ કામદારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ખાદી કામદારો, સરહદી રસ્તાઓનું નિર્માણ, અમૃત સરોવર, હર ઘર જલ યોજના સાથે સંકળાયેલા લોકો, પ્રાથમિક શાળાના શિક્ષકો, નર્સો અને માછીમારો પણ આ કાર્યક્રમનો ભાગ હશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.