= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
PM Modi Speech Live: 'હું આગામી 15 ઓગસ્ટે ફરી આવીશ' પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે 2014માં મેં પરિવર્તન લાવવાનું વચન આપ્યું હતું. તમે દેશવાસીઓએ મારા પર વિશ્વાસ કર્યો. મેં તમને આપેલા મારા વચનને વિશ્વાસમાં ફેરવી દીધું. 2019માં પ્રદર્શનના આધારે તમે મને ફરીથી આશીર્વાદ આપ્યા. પરિવર્તને મને બીજી તક આપી. હું તમારા બધા સપના પૂરા કરીશ. 2047નું સપનું સાકાર કરવાની સૌથી મોટી સોનેરી ક્ષણ આવતા પાંચ વર્ષ છે. આગામી 15 ઓગસ્ટે આ લાલ કિલ્લા પરથી હું તમારી સામે દેશની ઉપલબ્ધિઓ અને વિકાસ રજૂ કરીશ. આગામી 15મી ઓગસ્ટે ફરી આવશે. હું ફક્ત તમારા માટે જ જીવું છું. જો હું પરસેવો પાડુ છું તો તમારા માટે પાડુ છું કારણ કે તમે મારો પરિવાર છો. હું તમારું દુ:ખ જોઈ શકતો નથી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
PM Modi Speech Live: 'વિકાસ માટે પરિવારવાદથી મુક્તિ જરૂરી છે' વિપક્ષ અને કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું કે, દેશના વિકાસ માટે પરિવારવાદથી આઝાદી જરૂરી છે. તુષ્ટિકરણની રાજનીતિએ સામાજિક ન્યાયને મારી નાખ્યો. દેશ વિકાસ ઈચ્છે છે. દેશ 2047નું સપનું સાકાર કરવા માંગે છે. અમે કોઈપણ સંજોગોમાં ભ્રષ્ટાચાર સહન કરી શકતા નથી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
PM Modi Speech Live: 'ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તુષ્ટિકરણ... આપણે આ ત્રણેયથી છૂટકારો મેળવવો પડશે' 77માં સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું, હું ભ્રષ્ટાચાર સામે લડતો રહીશ. પરિવારવાદે આપણા દેશને લૂંટી લીધો છે. ત્રીજી દુષ્ટતા તુષ્ટિકરણની છે. તે આપણા દેશ પર ડાઘ લગાવી દીધો છે. આપણે આ ત્રણેય દુષણો સામે આપણી પૂરી શક્તિથી લડવાનું છે. આપણે આ ત્રણ બુરાઈઓમાંથી મુક્તિ મેળવવાની છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
PM Modi Speech Live: '2047માં વિશ્વમાં ભારતનો ધ્વજ વિકસિત ભારતનો તિરંગો હોવો જોઈએ' પીએમ મોદીએ કહ્યું હતું કે સપના અનેક છે. સંકસ્પ સાથે છે. નીતિઓ સ્પષ્ટ છે. પરંતુ આપણે કેટલાક સત્યો સ્વીકારવા પડશે. આજે હું લાલ કિલ્લા પરથી તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. આજે આપણે કેટલીક બાબતોને ગંભીરતાથી લેવી પડશે. 2047 માં જ્યારે દેશ આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે, તે સમયે વિશ્વમાં ભારતનો ધ્વજ વિકસિત ભારતનો તિરંગો હોવો જોઈએ.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
PM Modi Speech Live: 'ગામમાં બે કરોડ બહેનોને કરોડપતિ બનાવવાનું સપનું' લાલ કિલ્લાની કિલ્લા પરથી પીએમ મોદીએ કહ્યું, મારું સપનું છે કે ગામમાં બે કરોડ બહેનો કરોડપતિ બને. એટલા માટે અમે નવી યોજના વિશે વિચારી રહ્યા છીએ. કૃષિ ક્ષેત્રે ટેકનોલોજી આવશે. અમે તેમને ડ્રોનની સેવા આપવા માટે તાલીમ આપીશું. દેશ દરેક ક્ષેત્રમાં વિકાસ કરી રહ્યો છે. દેશ આધુનિકતા તરફ આગળ વધી રહ્યો છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
PM Modi Speech Live: ‘ભારતે મોંઘવારીને કાબૂમાં લેવાના ભરપૂર પ્રયાસો કર્યા’ પીએમ મોદીએ કહ્યું કે, અમે ભારતની નવી સંસદ સમય કરતા બનાવી છે. આ નવું ભારત છે. આ ભારત અટકતું નથી, આ ભારત થાકતું નથી અને આ ભારત હારતું નથી. મોંઘવારીએ આખી દુનિયાને પોતાની ઝપેટમાં લીધી છે પરંતુ ભારતે મોંઘવારી પર અંકુશ મેળવવા માટે ઘણા પ્રયાસો કર્યા. અમે દેશમાં ફુગાવાને કાબૂમાં લેવા માટે અનેક પગલાં લીધાં છે અને આ દિશામાં અમારા પ્રયાસો ચાલુ રહેશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
PM Modi Speech Live: વિશ્વકર્મા યોજના આવતા મહિને શરૂ થશે લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે આવતા મહિને તેઓ પરંપરાગત કૌશલ્ય ધરાવતા લોકો માટે વિશ્વકર્મા યોજના શરૂ કરશે. વિશ્વકર્મા યોજનામાં 15 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે. અમે આયુષ્માન ભારત યોજના હેઠળ 70 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
PM Modi Speech Live: 'દેશવાસીઓને 10 વર્ષનો હિસાબ આપવો પડશે...' પીએમ મોદીએ કહ્યું કે, 2014માં આપણે વિશ્વની અર્થવ્યવસ્થામાં 10મા નંબર પર હતા. આજે આપણે 5મા નંબરે પહોંચી ગયા છીએ. એમ જ નથી બન્યું. દેશને ભ્રષ્ટાચારે ભરડો લીધો હતો. હું દેશવાસીઓને 10 વર્ષનો હિસાબ આપી રહ્યો છું. અગાઉ ગરીબો માટે ઘર બનાવવા માટે 90 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આજે ચાર લાખ કરોડનો ખર્ચ થઈ રહ્યો છે. છેલ્લા સાડા પાંચ વર્ષમાં 13.50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
PM Modi Speech Live: 'આપણે જે નિર્ણય લઈશું તે સોનેરી ઈતિહાસને જન્મ આપશે' પીએમ મોદીએ કહ્યું હતું કે હું છેલ્લા 1000 વર્ષોની વાત એટલા માટે કરી રહ્યો છું કારણ કે હું જોઈ રહ્યો છું કે દેશની સામે ફરી એક વાર તક છે. અત્યારે આપણે જે યુગમાં જીવી રહ્યા છીએ, આપણે જે પણ કરીએ છીએ, આપણે જે પગલાં લઈએ છીએ અને એક પછી એક જે નિર્ણયો લઈએ છીએ તે એક સુવર્ણ ઈતિહાસને જન્મ આપશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
PM Modi Speech Live: 'દેશમાં આજે તકોની કોઈ અછત નથી' પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે, આજે જેટલુ સૌભાગ્ય દેશના યુવાનોને મળ્યું છે તે ભાગ્યે જ કોઈને મળે છે. આપણે તેને ગુમાવવું ન જોઈએ. આવનારો સમય ટેકનોલોજીથી પ્રભાવિત થવાનો છે. આપણાં નાનાં શહેરો અને નગરો વસ્તીમાં ભલે નાનાં હોય પણ તેમની ક્ષમતા કોઈથી ઓછી નથી. દેશમાં તકોની કોઈ અછત નથી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
PM Modi Speech Live: PM મોદીએ મણિપુર પર કરી વાત પીએમ મોદીએ કહ્યું હતું કે ભૂતકાળમાં મણિપુરમાં હિંસાનો સમય હતો. પરંતુ થોડા દિવસોથી સતત શાંતિના સમાચાર આવી રહ્યા છે. દેશ મણિપુરના લોકોની સાથે છે. લોકોએ શાંતિના તહેવારને આગળ વધારવો જોઈએ. શાંતિથી જ માર્ગ મળશે. કેન્દ્ર અને રાજ્ય સરકારો શાંતિ જાળવવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે અને કરતી રહેશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
PM Modi Speech Live: PM મોદીએ 10મી વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો 77માં સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો છે. આ સતત 10મી વખત છે જ્યારે પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પણ પોતાના 10 વર્ષના UPA કાર્યકાળમાં સતત 10 વખત તિરંગો ફરકાવ્યો હતો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Independence Day 2023 Live: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તેમના નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Independence Day Live: વડાપ્રધાન મોદી રાજઘાટ પહોંચ્યા = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
શ્રીનગરના લાલ ચોકમાં તિરંગો ફરકાવવામાં આવ્યો Independence Day Live: 77માં સ્વતંત્રતા દિવસ પર શ્રીનગરના લાલ ચોકમાં તિરંગો ફરકાવવામાં આવ્યો
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી