ભારતે કોરોના રસીકરણમાં મોટી સિદ્ધી મેળવી છે. દેશમાં કુલ રસીકરણનો આંક 100 કરોડને પાર થઈ ગયો છે. જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે. 


ડોકટરો, નર્સો, સ્વચ્છતા કામદારો અને અન્ય લોકોનું સન્માન કરવામાં આવશે


આ કાર્યક્રમ અંતર્ગત રસીકરણ અભિયાન સાથે સંકળાયેલા ડોકટરો, નર્સો, સ્વચ્છતા કામદારો અને અન્ય લોકોને સન્માનિત કરવામાં આવશે. આ સાથે, રસીકરણને પ્રોત્સાહન આપવા માટે ભાજપ દ્વારા લોકોને રસીકરણ કેન્દ્રમાં લાવવા અને ઘરે પાછા મુકવા માટે પીક એન્ડ ડ્રોપની સુવિધા પણ આપવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરુણ સિંહ કોઇમ્બતુરમાં હાજર રહેશે, જ્યારે સાંસદ અને પક્ષના મહાસચિવ દુષ્યંત કુમાર ગૌતમ લખનૌમાં હાજર રહેશે. અરુણ સિંહ કહે છે કે દેશમાં રસીકરણનો 100 કરોડનો આંકડો માત્ર પીએમ નરેન્દ્ર મોદીના મજબૂત નેતૃત્વને કારણે જ શક્ય બન્યો હતો.






છેલ્લા 20 દિવસમાં નોંધાયેલા કેસ


1 ઓક્ટોબરઃ 26,727


2 ઓક્ટોબરઃ 24,534


3 ઓક્ટોબરઃ 22,842


4 ઓક્ટોબરઃ 20,799


5 ઓક્ટોબરઃ 18,346


6 ઓક્ટોબરઃ 18,383


7 ઓક્ટોબરઃ 22,431


8 ઓક્ટોબર: 21,527


9 ઓક્ટોબરઃ 19,740


10 ઓક્ટોબરઃ 18,106


11 ઓક્ટોબરઃ 18,132


12 ઓક્ટોબરઃ 14,313


13 ઓક્ટોબરઃ 15,823


14 ઓક્ટોબરઃ 18,987     


15 ઓક્ટોબરઃ 16,862


16 ઓક્ટોબરઃ 15,981


17 ઓક્ટોબરઃ 14,146


18 ઓક્ટોબરઃ 13,596


19 ઓક્ટોબરઃ 13,058


20 ઓક્ટોબરઃ 14,623


કોરોના સંક્રમણને રોકવા દિવાળી-ક્રિસમસ મહત્વપૂર્ણઃ ડો. ગુલેરિયા


કોરોનાનાનું સંક્રમણ ફરી ધીમી ગતિ વધી રહ્યું છે ત્યારે    દિલ્લી એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદિપ ગુલેરિયાએ આવનાર થોડા સપ્તાહ મહત્વૂપૂર્ણ હોવાના અને આ સમયમાં વધુ સાવધાન રહેવાની સલાહ આપી છે. ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ધીમી ગતિએ વધી રહેલા કોરોના ઇન્ફેકશનને ડાઉન કરવા માટે આવનાર થોડા સપ્તાહ વધુ ધ્યાન રાખવાની જરૂર છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ આગામી તહેવારોની સીઝન માટે કોવિડ -19 માર્ગદર્શિકા જાહેર  કર્યાના ત્રણ દિવસ બાદ ન્યુઝ એન્જસી એએનઆઇ સાથે વાત કરતા જણાવ્યું કે. હવે ફેસ્ટિવલ સિઝન શરૂ થઇ રહી છે તો બીજી તરફ કોવિડના કેસ ધીમી ગતિએ પણ વધી રહ્યાં છે. જો આ સમયે થોડી સતકર્તા અને સજાગતાથી વર્તવામાં આવશે તો કોવિડના સંક્રમણને ઓછું કરવામાં સફળતા મળી શકશે. ગુલેરિયાએ કહ્યું કે તહેવારની સિઝનમાં આપણે વધુ સાવધાન અન સતર્ક રહેવું પડશે. આવતા થોડા સપ્તાહમાં સાવધાની રાખવામાં આવે તો તો કેસમાં ઘટાડો થઇ શકે છે. આવનાર દિવાળી, ક્રિસમસના કારણે બજારમાં ભીડ થઇ શકે છે. જે વાયરસના ફેલાવાને વેગ આપી શકે છે.