Coronavirus India Update: ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. ભારતમાં સતત ચોથા દિવસે 10 હજારથી ઓછા કેસ નોંધાયા છે. દેશમાં સળંગ 48માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 151માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે.  


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 9119 નવા કેસ નોંધાયા છે અને 396 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 10264 લોકો કોરોના સામે જંગ જીત્યા છે.  દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 539 દિવસની નીચલી સપાટી 1,09,940 પર પહોંચી છે. રિકવરી રેટ 98.26 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 5379 કેસ નોંધાયા છે અને 308 સંક્રમિતોના મોત થયા છે.


બુધવારે 437 લોકોના મોત થયા હતા અને 9283 કેસ નોંધાયા હતા. મંગળવારે ભારતમાં 7579 નવા કેસ નોંધાયા હતા અને 236 સંક્રમિતોના મોત થયા હતા. સોમવારે દેશમાં 8488 નવા કેસ નોંધાયા હતા અને 236 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.


દેશમાં કેટલા લોકોનું રસીકરણ થયું


દેશમાં અત્યાર સુધીમાં 119,38,44,741 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 90,27,638 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.


કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા


ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 63,57,97,674 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 11,50,538 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.


ભારતમાં કોરોનાની સ્થિતિ



  • કુલ કેસઃ 3 કરોડ 45 લાખ 26 હજાર 815

  • કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 39 લાખ 67 હજાર 962

  • એક્ટિવ કેસઃ 1 લાખ 9 હજાર 940

  • કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 66 હજાર 980