India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના મામલા ફરી વધ્યા છે. બુધવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 11,903 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને 311 લોકોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 252 દિવસના નીચલા સ્તર 1,51,209 પર પહોંચી છે. 


દેશમાં કોરોનાની શું છે સ્થિતિ


કુલ કેસઃ 3 કરોડ 43 લાખથી વધારે


કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 36 લાખ 97 હજાર 740


કુલ એક્ટિવ કેસઃ 1 લાખ 51 હજાર 209


કુલ મોતઃ 4 લાખ 59 હજાર 191


દેશમાં કેટલા લોકોને અપાઈ રસી


દેશમાં અત્યાર સુધીમાં 107 કરોડ 29 લાખ 66 હજારથી વધુ લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 41,16,203 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.


નવેમ્બરમાં નોંધાયેલા કેસ


1 નવેમ્બરઃ 12,514


2 નવેમ્બરઃ 10,423




કોરોના સંક્રમણને રોકવા દિવાળી-ક્રિસમસ મહત્વપૂર્ણઃ ડો. ગુલેરિયા


કોરોનાનાનું સંક્રમણ ધીમું પડી રહ્યું છે ત્યારે    દિલ્લી એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદિપ ગુલેરિયાએ આવનાર થોડા સપ્તાહ મહત્વૂપૂર્ણ હોવાના અને આ સમયમાં વધુ સાવધાન રહેવાની સલાહ આપી છે. ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ધીમી ગતિએ વધી રહેલા કોરોના ઇન્ફેકશનને ડાઉન કરવા માટે આવનાર થોડા સપ્તાહ વધુ ધ્યાન રાખવાની જરૂર છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ આગામી તહેવારોની સીઝન માટે કોવિડ -19 માર્ગદર્શિકા જાહેર  કર્યાના ત્રણ દિવસ બાદ ન્યુઝ એન્જસી એએનઆઇ સાથે વાત કરતા જણાવ્યું કે. હવે ફેસ્ટિવલ સિઝન શરૂ થઇ રહી છે તો બીજી તરફ કોવિડના કેસ ધીમી ગતિએ પણ વધી રહ્યાં છે. જો આ સમયે થોડી સતકર્તા અને સજાગતાથી વર્તવામાં આવશે તો કોવિડના સંક્રમણને ઓછું કરવામાં સફળતા મળી શકશે. ગુલેરિયાએ કહ્યું કે તહેવારની સિઝનમાં આપણે વધુ સાવધાન અન સતર્ક રહેવું પડશે. આવતા થોડા સપ્તાહમાં સાવધાની રાખવામાં આવે તો તો કેસમાં ઘટાડો થઇ શકે છે. આવનાર દિવાળી, ક્રિસમસના કારણે બજારમાં ભીડ થઇ શકે છે. જે વાયરસના ફેલાવાને વેગ આપી શકે છે.