India Corona cases live update : છેલ્લા 24 કાલકમાં નોંધાયા 37,379 કેસ, 124નાં મોત
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 37,379 નવા કેસ નોંધાય હતા. જ્યારે તેની સામે 11,007 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તો 124 લોકોના કોરોનાને કારણે મોત નીપજ્યા હતા.
abp asmita Last Updated: 04 Jan 2022 09:47 AM
બ્રેકગ્રાઉન્ડ
નવી દિલ્લીઃ દેશમાં ફરી એકવાર કોરોનાના કેસો વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 37,379 નવા કેસ નોંધાય હતા. જ્યારે તેની સામે 11,007 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તો 124...More
નવી દિલ્લીઃ દેશમાં ફરી એકવાર કોરોનાના કેસો વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 37,379 નવા કેસ નોંધાય હતા. જ્યારે તેની સામે 11,007 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તો 124 લોકોના કોરોનાને કારણે મોત નીપજ્યા હતા. દેશમાં અત્યારે કોરોના કુલા કેસ 3,49,60,261 છે, જ્યારે 1,71,830 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં 3,43,06,414 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તો અત્યાર સુધીમાં કુલ 4,82,017 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 1,46,70,18,464 લોકોનું રસીકરણ કરાયું છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
દિલ્લીમાં વીકેન્ડ કર્ફ્યૂ
દેશમાં ફરી એકવાર કોરોના સંક્રમણ વધ્યું છે, ત્યારે કેટલાય રાજ્યોએ ફરી એકવાર નિયંત્રણ લાગું કરી દીધા છે. ત્યારે દિલ્લી સરકારે પણ વીકેન્ડ કર્ફ્યૂ લગાવી દીધું છે. દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, DDMAએ કોવિડના વધારાને રોકવા માટે દિલ્હીમાં શનિવાર અને રવિવારે કર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે. આવશ્યક સેવાઓમાં રોકાયેલા લોકો સિવાયના તમામ સરકારી અધિકારીઓ ઘરેથી કામ કરશે. ખાનગી ઓફિસોના 50% કર્મચારીઓ ઘરેથી કામ કરશે.