India Coronavirus Update: દેશમાં બે દિવસ બાદ ફરી એક વખત કોરોના કેસમાં વધારો થયો છે.. ગુરુવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 31,923 નવા કેસ અને 282 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 31,990 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં કોરોના એક્ટિવ કેસ 187 દિવસ બાદ સૌથી ઓછા છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં જ 19,675 નવા કેસ નોંધાયા હતા અને 142 લોકોના મોત થયા હતા. આમ કેરળની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે.
છેલ્લા સાત દિવસમાં નોંધાયેલા કેસ
- 16 સપ્ટેમ્બરઃ 30,570
- 17 સપ્ટેમ્બરઃ34,403
- 18 સપ્ટેમ્બરઃ 35,662
- 19 સપ્ટેમ્બરઃ30,773
- 20 સપ્ટેમ્બરઃ 30,256
- 21 સપ્ટેમ્બરઃ 26,115
- 22 સપ્ટેમ્બરઃ 26,964
દેશમાં કોરોનાની શું છે સ્થિતિ
- કુલ કેસઃ 3 કરોડ 35 લાખ 63 હજાર 421
- કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 28 લાખ 15 હજાર 731
- કુલ એક્ટિવ કેસઃ 3 લાખ 01 હજાર 604
- કુલ મોતઃ 4 લાખ 46 હજાર 050
દેશમાં કેટલા લોકોને અપાઈ રસી
કોરોનાની ત્રીજી લહેરના ખતરા વચ્ચે રસીકરણના મોરચેથી એક સારા સમાચાર આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 83,39,90,049 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 71,38,205 લોકોને ગઈકાલે રસી આપવામાં આવી હતી. જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.
લાન્સેટ પત્રિકા દ્વારા જારી એક સ્ટડીમાં દાવો કરાયો છે કે હાલની સિૃથતિ મુજબ લોકોને કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ આપવાની જરૂર નથી. કેમ કે જે ડોઝ અપાયો છે તેની ઘણી સારી અસર જોવા મળી રહી છે. રસી હાલ ડેલ્ટા કે આલ્પા વેરિઅન્ટમાં પણ અસરકારક સાબિત થઇ રહી છે એવામાં કોવિન વેક્સિન બૂસ્ટર્સ આપવાની હાલ જરૂર નથી.