નવી દિલ્લીઃ કોરોનાની સ્થિતિને લઈને પીએમ નરેન્દ્ર મોદી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાતે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પીએમ બેઠક કરશે. આગામી 13મી જાન્યુઆરીએ પીએમ મોદી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. કોરોના અને ઓમિક્રોનને રોકવા અંગે બેઠકમાં ચર્ચા કરાશે. 


કોરોનાની સમિક્ષા કરવા કેન્દ્રીય આરોગ્ય મંત્રી દેશભરના ડૉક્ટરો સાથે વર્ચ્યુઅલ બેઠક કરશે. 11.30 વાગ્યે કેન્દ્રીય આરોગ્ય મંત્રીની આઈએમએના ડૉક્ટરો સાથે વર્ચ્યુઅલી બેઠક કરશે. ગુજરાતમાંથી ડૉક્ટર અનિલ નાયક, ડૉ મેહુલ શાહ, ડૉ અતુલ પંડ્યા, અને રાજકોટના 2 ડૉક્ટર્સ કેન્દ્રીય આરોગ્ય મંત્રી સાથેની વર્ચ્યુઅલ બેઠકમાં જોડાશે.






 


India Corona Cases Today: ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ  તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે.


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 1,68,063 નવા કેસ નોંધાયા છે અને 277 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 69957 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 8,21,446  પર પહોંચી છે. દેશમાં ગઈકાલની તુલનાએ આજે 6.5 ટકા ઓછા કેસ નોંધાયા છે. ગઈકાલે 1.79 લાખ કેસ નોંધાયા હતા. ઓમિક્રોનના કુલ 4461 કેસ થયા છે.



  • એક્ટિવ કેસઃ  8,21,446

  • કુલ ડિસ્ચાર્જઃ 34570131

  • કુલ મૃત્યુઆંકઃ484213

  • કુલ રસીકરણઃ 1,52,89,70,294


કેટલું ટેસ્ટિંગ થયું











 











દેશમાં અત્યાર સુધીમાં 69.31,55,280 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 10 જાન્યુઆરીએ 15,79.928 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.

 


આ ટોચના નેતાઓ થયા સંક્રમિત


દેશભરમાં કોરોના વાયરસના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. દરમિયાન ગઈકાલે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, કર્ણાટકના મુખ્યમંત્રી સહિત એક કેન્દ્રીય નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.


ગઈકાલે કેટલા કેસ નોંધાયા હતા


સોમવારે કોરોના વાયરસના 1 લાખ 79 હજાર 729 નવા કેસ નોંધાયા હતા જ્યારે 146 લોકોએ જીવ ગુમાવ્યો હતો.


મુંબઈ પોલીસમાં કોરોનાનો કહેર


મુંબઈમાં કોરોનાનો પ્રકોપ યથાવત છે. મુંબઈમાં છેલ્લા 48 કલાકમાં 2 પોલીસ કર્મચારીઓએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. મુંબઈના નાગપદમાં મોટર વાહન વિભાગના સબ ઈન્સ્પેક્ટરે કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. આ સબ ઈન્સ્પેક્ટરનું નામ મહેન્દ્ર ભાટી હતું. મહેન્દ્ર ભાટી મુંબઈ પોલીસના મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં નોકરી કરતા હતા. શનિવારે કોરોનાને કારણે તેમનું મૃત્યુ થયું હતું. બીજી તરફ જો આંકડાઓની વાત કરીએ તો અત્યાર સુધીમાં મુંબઈના 125 પોલીસકર્મીઓ કોરોનાને કારણે જીવ ગુમાવી ચૂક્યા છે.