India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટ્યા છે. સોમવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 12514 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને  251 લોકોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 248 દિવસના નીચલા સ્તર 1,58,817 પર પહોંચી છે. દેશમાં 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં 7167 નવા કેસ અને 167 લોકોના મોત થયા છે. આમ કેરળમાં દેશના 50 ટકા કેસ નોંધાયા છે.


દેશમાં કોરોનાની શું છે સ્થિતિ



  • કુલ કેસઃ 3 કરોડ 42 લાખ 85 હજાર 814

  • કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 36 લાખ 68 હજાર5602

  • કુલ એક્ટિવ કેસઃ 1 લાખ 58 હજાર 817

  • કુલ મોતઃ 4 લાખ 58 હજાર 437


દેશમાં કેટલા લોકોને અપાઈ રસી


દેશમાં અત્યાર સુધીમાં 106 કરોડ 31 લાખ 24 હજારથી વધુ લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે.




ઓક્ટોબર મહિનામાં કઈ તારીખે કેટલા કેસ નોંધાયા



  • 1 ઓક્ટોબરઃ 26,727

  • 2 ઓક્ટોબરઃ 24,534

  • 3 ઓક્ટોબરઃ 22,842

  • 4 ઓક્ટોબરઃ 20,799

  • 5 ઓક્ટોબરઃ 18,346

  • 6 ઓક્ટોબરઃ 18,383

  • 7 ઓક્ટોબરઃ 22,431

  • 8 ઓક્ટોબર: 21,527

  • 9 ઓક્ટોબરઃ 19,740

  • 10 ઓક્ટોબરઃ 18,106

  • 11 ઓક્ટોબરઃ 18,132

  • 12 ઓક્ટોબરઃ 14,313

  • 13 ઓક્ટોબરઃ 15,823

  • 14 ઓક્ટોબરઃ 18,987

  • 15 ઓક્ટોબરઃ 16,862

  • 16 ઓક્ટોબરઃ 15,981

  • 17 ઓક્ટોબરઃ 14,146

  • 18 ઓક્ટોબરઃ 13,596

  • 19 ઓક્ટોબરઃ 13,058

  • 20 ઓક્ટોબરઃ 14,623

  • 21 ઓક્ટોબરઃ 18,454

  • 22 ઓક્ટોબરઃ 15,786

  • 23 ઓક્ટોબરઃ 16,326

  • 24 ઓક્ટોબરઃ 15,906

  • 25 ઓક્ટોબરઃ14,306

  • 26 ઓક્ટોબરઃ 12,147

  • 27 ઓક્ટોબરઃ 13,451

  • 28 ઓક્ટોબરઃ 16,156

  • 29 ઓક્ટોબરઃ 14,358

  • 30 ઓક્ટોબર: 14,313

  • 31 ઓક્ટોબરઃ 12,830


કોરોના સંક્રમણને રોકવા દિવાળી-ક્રિસમસ મહત્વપૂર્ણઃ ડો. ગુલેરિયા


કોરોનાનાનું સંક્રમણ ધીમું પડી રહ્યું છે ત્યારે    દિલ્લી એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદિપ ગુલેરિયાએ આવનાર થોડા સપ્તાહ મહત્વૂપૂર્ણ હોવાના અને આ સમયમાં વધુ સાવધાન રહેવાની સલાહ આપી છે. ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ધીમી ગતિએ વધી રહેલા કોરોના ઇન્ફેકશનને ડાઉન કરવા માટે આવનાર થોડા સપ્તાહ વધુ ધ્યાન રાખવાની જરૂર છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ આગામી તહેવારોની સીઝન માટે કોવિડ -19 માર્ગદર્શિકા જાહેર  કર્યાના ત્રણ દિવસ બાદ ન્યુઝ એન્જસી એએનઆઇ સાથે વાત કરતા જણાવ્યું કે. હવે ફેસ્ટિવલ સિઝન શરૂ થઇ રહી છે તો બીજી તરફ કોવિડના કેસ ધીમી ગતિએ પણ વધી રહ્યાં છે. જો આ સમયે થોડી સતકર્તા અને સજાગતાથી વર્તવામાં આવશે તો કોવિડના સંક્રમણને ઓછું કરવામાં સફળતા મળી શકશે. ગુલેરિયાએ કહ્યું કે તહેવારની સિઝનમાં આપણે વધુ સાવધાન અન સતર્ક રહેવું પડશે. આવતા થોડા સપ્તાહમાં સાવધાની રાખવામાં આવે તો તો કેસમાં ઘટાડો થઇ શકે છે. આવનાર દિવાળી, ક્રિસમસના કારણે બજારમાં ભીડ થઇ શકે છે. જે વાયરસના ફેલાવાને વેગ આપી શકે છે.