છેલ્લા 24 કલાકમાં 37,528 દર્દીઓ સાજા થયા છે. કોરોના કેસ મામલે દુનિયામાં અમેરિકા અને બ્રાઝીલ બાદ સૌથી વધુ કેસ ભારતમાં છે. જ્યારે મૃત્યુ મામલે દુનિયામાં આઠમાં નંબરે છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, ભારતમાં કોરોનાના કુલ કેસ 97 લાખ 96 હજાર 769 થઈ ગયા છે. તેમાંથી અત્યાર સુધી એક લાખ 42 હજાર 186 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કુલ એક્ટિવ કેસ ઘટીને ત્રણ લાખ 63 હજાર થઈ ગયા છે. અત્યાર સુધી કુલ 92 હજાર લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
ICMR અનુસાર, 10 ડિસેમ્બર સુધી કોરોના વાયરસના કુલ 15 કરોડ 17 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 10 લાખ સેમ્પલ ગઈકાલે કરવામાં આવ્યા હતા. દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.45 ટકા છે, જ્યારે રિકવરી રેટ 94.74 ટકા છે. એક્ટિવ કેસ 4 ટકાથી પણ ઓછા છે.