વિશાખાપટ્ટનમ: ભારતે દુશ્મનોને હરાવવા માટે એક જ સપ્તાહમાં બીજી વખત શુક્રવારે શક્તિશાળી K4 બૈલિસ્ટિક મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું છે. આંધ્રપ્રદેશના દરિયાન કિનારાથી છોડવામાં આવેલી આ મિસાઈલની રેંજ 3,500 કિલોમીટર છે અને આ સબમરિન દુશ્મનોના ઠેકાણાને નિશાન બનાવવામાં સક્ષમ છે. આ પહેલા મિસાઈલ K4નું સફળ પરિક્ષણ રવિવારે કરવામાં આવ્યું હતું.


આ સબમરિન મિસાઇલ ને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ મિસાઇલને ભારતીય નેવીના સ્વદેશી INS અરિહંત શ્રેણીની પરમાણુ સંચાલિત સબમરીનોમાં તૈનાત કરવામાં આવશે.

આ મિસાઈલ જમીનથી હવામાં સટીક નિશાન સાધવામાં સક્ષમ છે. QRSAM સિસ્ટમ અંતર્ગત કોઇ પણ સૈન્ય અભિયાનમાં આ મિસાઈલ ગતિશીલ રહે છે અને દુશ્મનના વિમાન અથવા ડ્રોન પર નજર રાખીને તેના પર તાત્કાલિક નિશાન લગાવે છે.