Aditya L1 Launch: અવકાશમાં ભારતની તાકાત વધુ મજબૂત થવા જઈ રહી છે. ચંદ્રયાન-3ની સફળતા બાદ ઈસરોનું એક સૂર્ય મિશન શનિવારે સૂર્યની નજીક જવા લૉન્ચ કરી દીધું છે. આ મિશન શનિવારે રવાના થઇ ગયુ છે, અને હવે સૂર્યની નજીક પહોંચીને સૂર્યપ્રકાશ પર સંશોધન કરશે. ભારતના આ મિશન આદિત્યની સફળતા બાદ ભારત પણ એવા દેશોની યાદીમાં સામેલ થઈ ગયુ છે કે જેમણે પોતાનું મિશન સૂર્ય પર મોકલ્યું છે. ખરેખર, અત્યાર સુધીમાં 22 મિશન સૂર્ય પર ગયા છે અને ભારતનો નંબર આ લિસ્ટમાં 23મો છે.


જોકે ભારતનો નંબર 23 છે, પરંતુ આદિત્ય દરેક રીતે લેટેસ્ટ છે, અને અન્ય દેશોના મિશનથી તદ્દન અલગ છે. આવામાં સવાલ એ છે કે આ મિશન અન્ય દેશોની તુલનામાં કેવી રીતે અલગ હશે અને શું વિશેષ હશે.


આદિત્ય એલ-1 આજે એટલે કે 2 સપ્ટેમ્બર સવારે 11.50 કલાકે લૉન્ચ થઇ ચૂક્યુ છે. આ સૂર્ય મિશન પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિલોમીટરનું અંતર કાપશે. તે સૂર્યની નજીક જશે અને સૂર્યમાંથી આવતા કિરણોનો અભ્યાસ કરશે અને સૂર્ય સંબંધિત કેટલાય વણઉકેલાયેલા રહસ્યોને ઉકેલશે. આ મિશનમાં સૂરજ મિશન કરનારા દેશોમાં ભારતનું નામ સામેલ થશે. અત્યાર સુધીમાં ભારત ઉપરાંત અમેરિકન સ્પેસ એજન્સી નાસા, જર્મન સ્પેસ એજન્સી ડીએલઆર, યુરોપીયન એજન્સી ઈએસએના નામ સામેલ કરવામાં આવ્યા છે, આમાં નાસાએ 14 સૂર્ય મિશન શરૂ કર્યા છે.


કેમ ખાસ છે આદિત્ય એલ1 ?
આદિત્ય ભારત માટે ખાસ છે કારણ કે તે સંપૂર્ણપણે ભારતમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે, તેમાં 7 પેલર્સ પણ ફીટ કરવામાં આવ્યા છે, જેમાંથી 6 ભારતમાં જ બનાવવામાં આવ્યા છે. આ સાથે ભારતે પ્રથમ વખત એક એવું અવકાશયાન બનાવ્યું છે, જે આખો સમય સૂર્ય તરફ જોશે અને ચોવીસ કલાક અગ્નિને જોશે. વાસ્તવમાં, સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જગ્યા આવે છે, જ્યાં બંનેની ઊર્જા અસર કરે છે અને તેઓ પોતાની તરફ ખેંચે છે.


આ સ્થાન પર કોઈપણ વસ્તુ રહે છે, પરંતુ લાંબા સમય સુધી અહીં રહેવું ખૂબ મુશ્કેલ છે. આવી સ્થિતિમાં તેને ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવી છે અને તેને ત્યાં રાખવા માટે એક ખાસ મિકેનિઝમ તૈયાર કરવામાં આવી છે. તે સૂર્યની ખૂબ નજીક નહીં જાય, પરંતુ લેગ્રેન્જ પૉઇન્ટ પર રહેશે અને સૂર્ય પર સંશોધન કરશે. આદિત્ય એલ-1 એક સ્પેસ ટેલિસ્કોપ છે, જે અવકાશમાં ખાસ રીતે કામ કરશે.