Parliament Winter Session Day 6 LIVE: લોકસભામાં વંદે માતરમ પર બોલ્યા PM મોદી, કહ્યુ- 'જ્યારે 100 વર્ષ થયા હતા ત્યારે....'

અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે "વંદે માતરમ" ગીતની 150મી વર્ષગાંઠ પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે.

gujarati.abplive.comLast Updated: 08 Dec 2025 03:09 PM

બ્રેકગ્રાઉન્ડ

સોમવારે રાષ્ટ્રીય ગીત "વંદે માતરમ" ની 150મી વર્ષગાંઠ નિમિત્તે લોકસભામાં ખાસ ચર્ચા થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 12 વાગ્યે ચર્ચા શરૂ કરશે. સંસદ શરૂ થાય તે પહેલાં કેન્દ્રીય મંત્રી અર્જુન...More

Parliament Winter Session Day 6 LIVE: ગૌરવ ગોગોઈએ પીએમ મોદીને જવાબ આપ્યો

ગૌરવ ગોગોઈએ કહ્યું હતું કે, "મોદીનો ઉદ્દેશ્ય તેને રાજકીય રંગ આપવાનો હતો. તેમણે કોંગ્રેસ કાર્યકારી સમિતિ અને પંડિત નેહરુનો ઉલ્લેખ કર્યો. મારી પાસે એક ટેબલ છે કે મોદી જ્યારે પણ કોઈ પણ વિષય પર બોલે છે ત્યારે કેટલી વાર પંડિત નેહરુ અને કોંગ્રેસનો ઉલ્લેખ કરે છે. ઓપરેશન સિંદૂરમાં પંડિત નેહરુનું નામ 14 વખત લેવામાં આવ્યું હતું. કોંગ્રેસ પાર્ટીનું નામ 50 વખત લેવામાં આવ્યું હતું. તમે ગમે તેટલી કોશિશ કરો તમે નેહરુના યોગદાનને કલંકિત કરી શકશો નહીં."