Navratri Food in Indian Railways: ભારતીય રેલવેમાં વીઆઇપી ટ્રેનોમાં મુસાફરી કરતી વખતે તમને ખાવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. જો કે, નવરાત્રિને કારણે IRCTCએ હવે એવા મુસાફરોને વિશેષ સુવિધા પુરી પાડવાની વ્યવસ્થા કરી છે જેઓ ઉપવાસની સાથે તેમના મહત્વપૂર્ણ કામને કારણે લાંબા અંતરની મુસાફરી કરી રહ્યા છે.


નવરાત્રિના દિવસોમાં મહિલાઓ અને પુરૂષો ઉપવાસ રાખે છે અને આવી સ્થિતિમાં એક શહેરથી બીજા શહેરની મુસાફરી ઉપવાસ રાખનારા તમામ લોકો માટે ખૂબ જ પડકારરૂપ બની જાય છે. ટ્રેનમાં ઉપવાસમાં ખવાય તેવું ભોજન કે ફળ મળવું આવા મુસાફરો માટે મુશ્કેલીરૂપ સાબિત થતું હોવાથી આ વખતે IRCTC દ્વારા મુસાફરો માટે નવરાત્રિ સ્પેશિયલ થાળીની વ્યવસ્થા કરવામાં આવી છે, જે વિભાગની અનોખી પહેલ સાબિત થઈ રહી છે.


નવરાત્રિ દરમિયાન ટ્રેનના મુસાફરો માટે સાત્વિક થાળીની વ્યવસ્થા


વંદે ભારત, શતાબ્દી એક્સપ્રેસ, રાજધાની એક્સપ્રેસ વગેરે એવી વીઆઈપી ટ્રેનો છે જેમાં બિઝનેસ ક્લાસના મુસાફરો મુસાફરી  કરે છે. મુસાફરી દરમિયાન તેઓને સારી સુવિધા મળે છે. આ વખતે નવરાત્રિ દરમિયાન મુસાફરો માટે સાત્વિક થાળીની વ્યવસ્થા કરી રહ્યું છે. જો તમે આ ટ્રેનોમાં મુસાફરી કરી રહ્યા છો તો તમે ઉપવાસ અથવા સંબંધિત ભોજનની ઑનલાઇન માંગ કરી શકો છો. આ માટે મુસાફરે ઓનલાઈન ઓર્ડર આપવાનો રહેશે અને તેની સીટ પર સાત્વિક થાળી આપવામાં આવશે. લસણ અને ડુંગળી વગરનું ભોજન, ડ્રાય ફ્રૂટ્સ અને જૈન થાળી, ફળો, જ્યુસ, દૂધ અને પીવાનું શુદ્ધ પાણી બધું ઓર્ડર પર મુસાફરોને ઉપલબ્ધ થશે.


મુસાફરો ભોજનનો ઓર્ડર કેવી રીતે આપી શકે?


ઈ-કેટરિંગ દ્વારા મુસાફરો તેમના ભોજનનો ઓર્ડર આપી શકે છે અને વિગતો માટે તેમની ટ્રેનનું નામ અને PSR નંબર ઓનલાઈન દાખલ કરી શકે છે. મુસાફરી દરમિયાન આ તમામ ઉત્પાદનો પેસેન્જરને તેની સીટ પર તે જે શહેરમાં ઈચ્છે ત્યાં ખાવા માટે આપવામાં આવશે. આ માટે પેસેન્જરે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે, જ્યારે IRCTC CRM અજીત સિંહે આ માહિતી શેર કરતા કહ્યું કે આના કારણે નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરનારા તમામ મુસાફરોને ઉપવાસમાં કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે અને મુસાફરી સરળ રહેશે. રેલવેએ પોતાના મુસાફરોને ધ્યાનમાં રાખીને આ સુવિધા શરૂ કરી છે.