CAA વિરોધઃ UPના 11 જિલ્લાઓમાં ઇન્ટરનેટ બંધ, ગાજિયાબાદમાં 3600 લોકો પર કેસ
પ્રદર્શનકારીઓને ભડકાવવા પર અનેક સપા નેતાઓ પર કેસ દાખલ કરવામાં આવ્યો છે
એબીપી અસ્મિતા વેબ ટીમLast Updated: 21 Dec 2019 12:36 PM

બ્રેકગ્રાઉન્ડ
લખનઉઃ ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં વિરોધ પ્રદર્શનના આરોપમાં 3600 લોકો પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાંથી 400થી વધુ લોકોની ઓળખ કરાઇ છે જ્યારે 3200 અજ્ઞાત લોકો પર કેસ દાખલ કરાયો...More
લખનઉઃ ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં વિરોધ પ્રદર્શનના આરોપમાં 3600 લોકો પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાંથી 400થી વધુ લોકોની ઓળખ કરાઇ છે જ્યારે 3200 અજ્ઞાત લોકો પર કેસ દાખલ કરાયો છે. પોલીસ આરોપીની ઓળખ કરી રહી છે.પ્રદર્શનકારીઓને ભડકાવવા પર અનેક સપા નેતાઓ પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. અહીં પણ પોલીસે 65 લોકોની ધરપકડ કરી હતી.
ઉત્તર પ્રદેશની સ્થિતિને જોતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યા છે. મુખ્યમંત્રી આજે અમેઠીની મુલાકાતે જવાના હતા પરંતુ તેમણે પ્રવાસ રદ કર્યો છે. નાયબ મુખ્યમંત્રી કેશવ મૌર્યએ પણ પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે.