નવી દિલ્હીઃ હનુમાન જયંતિ પર હિંસા બાદ એક્શનમાં દિલ્હી પોલીસ, 15 લોકોની કરાઇ અટકાયત

જહાંગીરપુરી હિંસાને લઇને આખી દિલ્હીમા એલર્ટ જાહેર કરાયુ છે. સંવેદનશીલ સ્થળો પર પોલીસ ફોર્સ વધારવામાં આવી છે

gujarati.abplive.com Last Updated: 17 Apr 2022 08:40 AM

બ્રેકગ્રાઉન્ડ

દિલ્હીઃ દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જયંતિની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર શોભાયાત્રામાં લોકો પર પથ્થરમારો અને આગચંપી કરવામાં આવી હતી. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી...More

જહાંગીરપુરી હિંસાના બે વીડિયો આવ્યા સામે

 દિલ્હીના જહાંગીરપુરી હિંસાના બે વીડિયો સામે આવ્યા છે. એક વીડિયોમાં તોફાનીઓને દિલ્હી પોલીસ સામે  તલવાર લહેરાવતા જોઇ શકાય છે.  બીજા એક અન્ય વીડિયોમાં મોટી સંખ્યામાં ભીડ ઘર અને દુકાનોમાં તોડફોડ કરી રહી છે, પથ્થરમારો કરી રહી છે.  દિલ્હી પોલીસ કમિશનરે કહ્યું કે આ મામલામાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે જેના આધાર પર દિલ્હી પોલીસ તપાસ કરશે.