જનતા કર્ફ્યુ: ગુજરાતમાં જડબેસલાક રસ્તાઓ સૂમસામ, દુકાનો-મોલ બંધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસની મહામારીને લઈ આજે સવારે 7થી રાતે 9 વાગ્યા સુધી જનતા કરફ્યુ પાળવાનું આહવાન કર્યું છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, આવશ્યક સેવાઓથી જોડાયેલા લોકો સિવાય તમામ લોકો ઘરની બહાર ન નીકળે .

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 22 Mar 2020 05:54 PM

બ્રેકગ્રાઉન્ડ

જતના કર્ફ્યૂ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રવિવારે સવારે 7થી રાતે 9 વાગ્યા સુધી જનતા કર્ફ્યૂ પાળવાની અપીલના પગલે દેશભરમાં સરવાથી જ કર્ફ્યૂની અસર જોવા મળી રહે છે. પીએમ મોદીએ કહ્યું...More

કોરોનાવાયરસના કારણે ગુજરાતમાં મોતનો પહેલો કેસ નોંધાયો છે. સુરતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ એક વ્યક્તિનું મોત થયું છે. કોરોનાના કારણે ગુજરાતમાં મોતનો કિસ્સો નોંધાતાં ખળભળાટ મચ્યો છે. સુરતમાં કોરોનાવાયરસના કુલ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે.