Ravish Kumar Resign:  જાણીતા પત્રકાર રવીશ કુમારે બુધવારે (30 નવેમ્બર) NDTVમાંથી રાજીનામું આપ્યું છે. ત્યારથી તે ટ્વિટર પર સતત ટ્રેન્ડ કરી રહ્યા છે. આગલા દિવસે, NDTVના સ્થાપક પ્રણય રોય અને તેમની પત્ની રાધિકા રોયે પ્રમોટર જૂથના એકમ RRPR હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર તરીકે રાજીનામું આપ્યું હતું. વાસ્તવમાં, અદાણી ગ્રુપ હવે આ ન્યૂઝ ચેનલના અધિગ્રહણની નજીક પહોંચી ગયું છે.


આ ઘટનાક્રમ વચ્ચે, રોય દંપતિએ RRPR હોલ્ડિંગના ડિરેક્ટર તરીકે રાજીનામું આપ્યું. સાથે જ રવીશ કુમારે પણ ચેનલ છોડી દીધી છે. અદાણી ગ્રુપે આરઆરપીઆર હસ્તગત કરી હતી. NDTVમાં RRPR 29.18 ટકા હિસ્સો ધરાવે છે. જો કે, રોય હજુ પણ પ્રમોટર્સ તરીકે એનડીટીવીમાં 32.26 ટકા હિસ્સો ધરાવે છે અને તેણે ન્યૂઝ ચેનલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી રાજીનામું આપ્યું નથી.


નવા ડિરેક્ટરોની નિમણૂક થઈ


પ્રણય રોય એનડીટીવીના ચેરપર્સન છે અને રાધિકા રોય એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. મંગળવારે સ્ટોક એક્સચેન્જોને મોકલવામાં આવેલ સુચનામાં, NDTVએ જણાવ્યું હતું કે પ્રણય અને રાધિકા રોયે તાત્કાલિક અસરથી RRPR હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડ (RRPRH) ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી રાજીનામું આપ્યું છે. NDTVએ જણાવ્યું હતું કે RRPR હોલ્ડિંગના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સુદીપ્તા ભટ્ટાચાર્ય, સંજય પુગલિયા અને સેંતિલ સિન્નૈયા ચેંગલવારાયણની બોર્ડમાં ડિરેક્ટર તરીકે તાત્કાલિક અસરથી નિમણૂકને મંજૂરી આપી છે.


આ નિમણૂકો અને રાજીનામાને મંગળવારે યોજાયેલી RRPRHના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં મંજૂર કરવામાં આવ્યા હતા. અદાણી ગ્રુપે આ અઠવાડિયે RRPR હોલ્ડિંગ્સ પર નિયંત્રણ મેળવ્યું છે. અદાણી ગ્રુપ દ્વારા ભટ્ટાચાર્ય, પુગલિયા અને ચેંગલવારાયણને કંપનીમાં નોમિનેટ કરવામાં આવ્યા છે. રોય દંપતીએ 2009માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલી કંપની પાસેથી 400 કરોડ રૂપિયાની વ્યાજમુક્ત લોન લીધી હતી. આ કંપની વિશ્વપ્રધાન કોમર્શિયલ પ્રાઈવેટ લિમિટેડ (VCPL) હતી. આ લોનના બદલામાં, VCPL ને વોરંટને RRPR હોલ્ડિંગ્સના શેરમાં રૂપાંતરિત કરવાનો અધિકાર મળ્યો. RRPR હોલ્ડિંગ્સ NDTVમાં 29.2 ટકા હિસ્સો ધરાવે છે.