બેગ્લુંરુઃ કર્ણાટકમાં આજે સવારે આઠ વાગ્યાથી મતોની ગણતરી શરૂ થઇ ચૂકી છે. કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે આજે મતગણતરી હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં 15 વિધાનસભા બેઠકો પર થયેલી પેટાચૂંટણીમાં બીજેપીના સાખ દાવ પર છે. યેદિયુરપ્પાએ દાવો કર્યો છે કે કર્ણાટકમાં બીજેપીને 13 બેઠકો મળશે, જ્યારે કોંગ્રેસ અને જેડીએસને 1-1 બેઠકો જીતી શકશે.


ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં યેદીયુરપ્પાએ પોતાની ખુરશી બચાવવા માટે ઓછામાં ઓછી 6 બેઠકો જીતવી જરૂરી છે.



કર્ણાટકમાં 5મી ડિસેમ્બરે અઠાણી, કાવાડ, ગોકક, યેલાપુર, હિરેકેરુર, રાનીબેન્નૂર, વિજયનગર, ચિકબેલાપુર, કે.આર.પુરમ યશવંતપુરા, મહાલક્ષ્મી લેઆઉટ, શિવાજીનગર, હોસાકોટે, કે.આર.પેટે, હુનસૂર બેઠકો પર મતદાન યોજાયુ હતુ.



બીજેપી પાસે 105 ધારાસભ્યો
કર્ણાટકમાં ધારાસભ્યોના બળવાથી જુલાઈમાં એચડી કુમારસ્વામીની કોંગ્રેસ-જેડીએસ સરકાર પડી ગઈ હતી અને બીજેપી સત્તામાં આવવાનો માર્ગ મોકળો થયો હતો. વિધાનસભામાં હાલ ભાજપ પાસે 105 (એક અપક્ષ સહિત), કોંગ્રેસ પાસે 66 અને જેડીએસના 34 ધારાસભ્યો હતો. બીએસપીનો પણ એક ધારાસભ્ય છે.