નવી દિલ્હી:  કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા (CM BS Yediyurappa) બીજી વાર કોરોના પોઝિટિવ (Corona Positive) આવતા તેમને હોસ્પોટિલમાં દાખલ કરાયા છે. યેદિયુરપ્પાની હાલત ગંભીર થતા સૌપ્રથમ રમૈયા મેમોરિયલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા, ત્યાર બાદ હવે મણિપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 


કોરોના રિપોર્ટ આવ્યો તે પહેલા મુખ્યમંત્રી યેદિયુરપ્પા આજે કોરોનાની સ્થિતિને લઈ એક ઈમરજન્સી મીટિંગ બોલાવી હતી. મીટિંગ તેમના આવાસ પર રાખવામાં આવી હતી. 


મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તાવ આવ્યાના બે દિવસ પહેલા બીએલ યેદિયુરપ્પા (CM BS Yediyurappa)નો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટિવ આપ્યો હતો. જો કે, તાવ ન ઉતરતા આજે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 




ઉલ્લેખનીય છે કે,  78 વર્ષીય બીએસ યેદિયુરપ્પા ગત વર્ષે કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. ઓગસ્ટમાં તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા તેના બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. યેદિયુરપ્પા સાથે સાથે તેમની પુત્રી પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ હતા. 


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 217, 3353 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1185 લોકોના મોત થયા છે. જોકે 1,18,302 લોકો ઠીક પણ થયા છે.  આ પહેલા બુધવારે  2,00,739 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. ગત વર્ષે 30 સપ્ટેમ્બરે દેશમાં અગિયારસોથી વધુ સંક્રમિતોના મોત થયા હતા.  


ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 15 લાખની પાર પહોંચી ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. 




    • કુલ કેસ-  એક કરોડ 42 લાખ 91 હજાર 917

    • કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 25 લાખ 47 હજાર 866

    • કુલ એક્ટિવ કેસ - 15 લાખ 69 હજાર 743

    • કુલ મોત - 1 લાખ 74 હજાર 308



11 કરોડથી વધારેને રસી અપાઈ


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 11 કરોડ 72 લાખ 23 હજાર 509 ડોઝ આપવામાં આવ્યા છે.