અરવિંદ કેજરીવાલે દિલ્હીના CM તરીકે શપથ ગ્રહણ કર્યા, કહ્યું- મોદીના આશીર્વાદ માંગુ છું
આ પહેલા વર્ષ 2013 અને 2015માં પણ કેજરીવાલે રામલીલા મેદાનમાં શપથ લીધા હતા.
એબીપી અસ્મિતા વેબ ટીમLast Updated: 16 Feb 2020 12:55 PM
બ્રેકગ્રાઉન્ડ
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે અરવિંદ કેજરીવાલ આજે ત્રીજી વખત શપથ ગ્રહણ કર્યા હતા. દિલ્હીના રામલીલા મેદાનમાં આ કાર્યક્રમ યોજાશે. આ પહેલા વર્ષ 2013 અને 2015માં પણ કેજરીવાલે રામલીલા મેદાનમાં...More
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે અરવિંદ કેજરીવાલ આજે ત્રીજી વખત શપથ ગ્રહણ કર્યા હતા. દિલ્હીના રામલીલા મેદાનમાં આ કાર્યક્રમ યોજાશે. આ પહેલા વર્ષ 2013 અને 2015માં પણ કેજરીવાલે રામલીલા મેદાનમાં શપથ લીધા હતા. શપથ ગ્રહણ પહેલા કેજરીવાલે તેમના સંભવિત મંત્રીઓ સાથે ડિનર કર્યું અને આ દરમિયાન રાજધાનીના વિકાસના રોડમેપ પર ચર્ચા કરી હતી.
કેજરીવાલે કહ્યું- કેટલાક લોકો કહી રહ્યા છે કેજરીવાલ બધુ ફ્રી કરી રહ્યા છે. આ દુનિયામાં જેટલી કિંમતી ચીજો છે તે ફ્રી છે. મા અને પિતાનો પ્રેમ ફ્રી હોય છે. શ્રવણ કુમારની સેવા ફ્રી હતી. હું દિલ્હીવાસીઓને અને દિલ્હીવાસી કેજરીવાલને ખૂબ પ્રેમ કરે છે. જો હું સ્કૂલમાં ભણતા બાળકો પાસેથી, હોસ્પિટલમાં સારવાર માટે આવતા લોકો પાસેથી રૂપિયા લંઉ તો લાંછન છે આવા મુખ્યમંત્રી પર. સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વાગશે તેવો સમય જલદી આવશે.
મને ખુશી છે કે આજે મારા મંચ પર મુખ્ય અતિથિ તરીકે દિલ્હીના નિર્માતા હાજર છે. દિલ્હીને કેજરીવાલ નથી ચલાવતો. પરંતુ ઓટોવાળા, શિક્ષક, ડોકટર, સ્ટુડન્ટ અને તમામ દિલ્હીવાસી ચલાવે છે. નેતા અને પાર્ટી આવતી-જતી રહે છે પરંતુ દિલ્હી આગળ વધતી રહે છેઃ કેજરીવાલ
મને ખુશી છે કે આજે મારા મંચ પર મુખ્ય અતિથિ તરીકે દિલ્હીના નિર્માતા હાજર છે. દિલ્હીને કેજરીવાલ નથી ચલાવતો. પરંતુ ઓટોવાળા, શિક્ષક, ડોકટર, સ્ટુડન્ટ અને તમામ દિલ્હીવાસી ચલાવે છે. નેતા અને પાર્ટી આવતી-જતી રહે છે પરંતુ દિલ્હી આગળ વધતી રહે છેઃ કેજરીવાલ
દિલ્હીના લોકોએ દિલ્હીમાં એક નવી રાજનીતિ શરૂ કરી છે. જ્યારે ભારત માતાનો દરેક બાળક સારું શિક્ષણ મેળવશે ત્યારે તિરંગો આકાશમાં શાનથી લહેરાશે. જ્યારે ભારતના દરેક વ્યક્તિને સારી સારવાર મળશે ત્યારે તિરંગો શાનથી આકાશમાં લહેરાશે. જ્યારે સુરક્ષા અને મહિલાઓમાં આત્મસન્માન જાગશ, યુવાઓના માથા પરથી બરોજગારની ટેગ હટશે ત્યારે તિરંગો શાનથી લહેરાશેઃ કેજરીવાલ
ચૂંટણીમાં રાજનીતિ તો થતી રહે છે. અમારા વિરોધીઓએ અમને જે કંઈ કહ્યું તેને અમે માફ કરી દીધું છે. હું પ્રધાનમંત્રી મોદી પાસેથી આશીર્વાદ માંગુ છુઃ અરવિંદ કેજરીવાલ
મેં ક્યારેય કામ કરવામાં ભેદભાવ નથી કર્યો. બધા મારા પરિવારમાં સામેલ છે. જો કોઈ પણ કામ હોય તો તમે મારી પાસે આવી શકો છું હું બધાનું કામ કરીશ. હું સૌને સાથી મળીને કામ કરવા માંગુ છું: કેજરીવાલ
મેં ક્યારેય કામ કરવામાં ભેદભાવ નથી કર્યો. બધા મારા પરિવારમાં સામેલ છે. જો કોઈ પણ કામ હોય તો તમે મારી પાસે આવી શકો છું હું બધાનું કામ કરીશ. હું સૌને સાથી મળીને કામ કરવા માંગુ છું: કેજરીવાલ
કેજરીવાલે કહ્યું, આ એક ભાઈ, બહેન, યુવા અને વિદ્યાર્થીની જીત છે. દરેક દિલ્હીવાસીની જીત છે. તમારો દીકરો ફરી સીએમ બની ગયો હવે ચિંતાની વાત નથી. કેટલાક લોકોએ આપને વોટ આપ્યા, કેટલાક લોકોએ બીજેપીને વોટ આપ્યા, કેટલાકે કોંગ્રેસને વોટ આપ્યા. આજે હું બધાનો મુખ્યમંત્રી છું.
કેજરીવાલના શપથ સમારોહમાં ભાજપના ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તા પણ સામેલ થયા. તેમણે કહ્યું, જેમણે સમારોહમાં આવવું હશે તે આવશે. જનતા માટે કેન્દ્ર અને કેજરીવાલ સરકાર મળીને કામ કરે તેવી આશા છે.
અરવિંદ કેજરીવાલ એવું માને છે કે જૂના મંત્રીમંડળનું પુનરાવર્તન થવું જોઈએ તો તેમાં કંઈ ખોટું નથી. લોકો કેબિનેટના કામથી ખુશ છે અને અમે અમારા કામના આધારે ચૂંટણી જીતી હતી. અમે લોકોનો વિશ્વાસ ને જાળવી રાખીશુંઃ મનીષ સિસોદિયા
રામલીલા મેદાનમાં દિલ્હી પોલીસ અને સીઆરપીએફના 5 હજારથી વધારે જવાન સુરક્ષા તૈનાત રહેશે. દેખરેખ માટે ડ્રોનનો પણ ઉપયોગ લેવાશે. રામલીલા મેદાન પાસે 125 સીસીટીવીથી દેખરેખ રખાશે. એન્ટ્રી ગેટ પર મેટલ ડિટેક્ટરથી ચેકિંગ કરાશે.
રામલીલા મેદાનમાં દિલ્હી પોલીસ અને સીઆરપીએફના 5 હજારથી વધારે જવાન સુરક્ષા તૈનાત રહેશે. દેખરેખ માટે ડ્રોનનો પણ ઉપયોગ લેવાશે. રામલીલા મેદાન પાસે 125 સીસીટીવીથી દેખરેખ રખાશે. એન્ટ્રી ગેટ પર મેટલ ડિટેક્ટરથી ચેકિંગ કરાશે.