ભારતમાં લોકડાઉન 3 મે સુધી વધારવાની પીએમ મોદીની જાહેરાત, કેટલાક વિસ્તારોમાં 20 એપ્રિલ પછી શરતી છૂટછાટ
મોદીએ કહ્યું કે, જે વિસ્તારો કોરોનાવાયરસને નાથવામાં સફળ થશે તેમને 20 એપ્રિલ પછી કેટલીક છૂટછાટો આપી શકાશે. આ અંગેનું વિસ્તૃત જાહેરનામું આવતી કાલે 15 એપ્રિલે બહાર પાડવામાં આવશે.
એબીપી અસ્મિતા વેબ ટીમLast Updated: 14 Apr 2020 10:55 AM

બ્રેકગ્રાઉન્ડ
નવી દિલ્હીઃ કોરોના વાયરસ વિરૂદ્ધ જંગને ધ્યાનમાં રાખતા લાગુ કરવામાં આવેલ 21 દિવસનું લોકડાઉન આજે પૂરું થઈ રહ્યું છે. લોકડાઉનના અંતિમ દિવસે આજે સવારે 10 કલાકે પીએમ મોદી રાષ્ટ્રને સંબોધિત...More
નવી દિલ્હીઃ કોરોના વાયરસ વિરૂદ્ધ જંગને ધ્યાનમાં રાખતા લાગુ કરવામાં આવેલ 21 દિવસનું લોકડાઉન આજે પૂરું થઈ રહ્યું છે. લોકડાઉનના અંતિમ દિવસે આજે સવારે 10 કલાકે પીએમ મોદી રાષ્ટ્રને સંબોધિત કરશે. રાજ્યોની સાથે વ્યાપક ચર્ચા કર્યા બાદ લોકડાઉનને બે સપ્તાહ સુધી આગળ વધારવા પર સહમતિ બનતી જોવા મળી હતી. કહેવાય છે કે, પીએમ મોદી દેશને સંબોધનમાં લોકડાઉન 30 એપ્રિલ સુધી વધારવાની જાહેરાત કરી શકે છે. કોરોના સંકટ દરમિયાન પીએમ મોદીનં દેશના નામે આ ત્રીજું સંબોધન હશે.
પૂરી નિષ્ઠા સાથે 3 મે સુધી લોકડાઉનના નિયમોનું પાલન કરો જ્યાં છો ત્યાં જ રહો, સુરક્ષિત રહો.
વયં રાષ્ટ્રે જાગૃયામ એટલે કે આપણે બધા રાષ્ટ્રને જીવંત અને જાગૃત બનાવી રાખીએઃ પીએમ
વયં રાષ્ટ્રે જાગૃયામ એટલે કે આપણે બધા રાષ્ટ્રને જીવંત અને જાગૃત બનાવી રાખીએઃ પીએમ