નવી દિલ્હીઃ કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા માટે લાગુ કરવામાં આવેલા 21 દિવસના લોકડાઉનનો આવતીકાલે અંતિમ દિવસ છે. વડાપ્રધાન મોદી આવતીકાલે સવારે 10 વાગ્યે દેશને સંબોધશન કરશે. આ અંગે પીએમઓએ ટ્વિટ કરી જાણકારી આપી હતી.


વડાપ્રધાન મોદી આવતીકાલે લોકડાઉન વધારવાની જાહેરાત કરશે તેમ માનવામાં આવી રહ્યું છે. લોકડાઉન 30 એપ્રિલ સુધી વધારવામાં આવી શકે છે. આ અગાઉ વડાપ્રધાન મોદીએ તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથેની વીડિયો કોન્ફરન્સ દરમિયાન લોકડાઉન વધારવા પર સહમતિ વ્યક્ત કરી હતી. લોકડાઉન વધારવા દરમિયાન કેટલીક છૂટછાટ પણ આપવામાં આવી શકે છે.

  1. હાલ દેશમાં પાકની કાપણીની સીઝન ચાલી રહી છે. તેથી ખેડૂતોને કેટલીક છૂટની જાહેરાત કરવામાં આવી શકે છે.

  2. જે મજૂરો કે ગરીબ લોકો લોકડાઉન દરમિયાન ક્યાંય ફસાયેલા હોય તેમને છૂટ આપવામાં આવી શકે છે.

  3. સ્કૂલ-કોલેજો હાલ નહીં શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.

  4. આરોગ્ય સેતુ એપનો ઈ-પાસની જેમ ઉપયોગ કરવાની સુવિધા આપવામાં આવી શકે છે.

  5. ઘરેલુ સામાન બનાવતી ફેકટરીઓ તથા સડક નિર્માણ સંબંધી કામમાં કેટલીક શરતો સાથે મંજૂરી આપવામાં આવી શકે છે.


6. જે શહેરોમાં સંક્રમણના મામલા નથી ત્યાં લોકડાઉનમાંથી મુક્તિ આપવામાં આવી શકે છે.