નવી દિલ્હીઃ કોરોનાના કારણે લોકો પોતાના ઘરમાં કેદ છે. જેને કારણે દુનિયામાંથી પ્રદૂષણ ઓછું થયાના અહેવાલો આવી રહ્યા છે. ભારતની બે મુખ્ય નદીઓનું પાણી પણ હવે સ્વચ્છ થઇ રહ્યું છે. ગંગા યમુનાનું પાણી એટલું સ્વચ્છ થઇ ગયું છે કે લોકો આશ્વર્યમાં પડી ગયા છે. વાસ્તવમાં કોરોનાના કારણે ભારતમાં 21 દિવસનું લોકડાઉન છે. જેના કારણે તમામ ઇન્ડસ્ટ્રી બંધ છે. આ કારણે નદીઓનું પાણી સ્વચ્છ થઇ રહ્યું છે.

દિલ્હીમાં યમુનાનું પાણી એટલું શુદ્ધ થઇ ગયું છે જેને જોઇને લોકો આશ્વર્યમાં પડી ગયા છે કારણ કે યમુનાનું પાણી હંમેશા ગંદુ દેખાય છે. તમામ કારખાનાઓ કચરાને યમુનામાં ઠાલવે છે. જોકે, હાલમાં તમામ કારખાના બંધ હોવાના કારણે નદીનું પાણી સ્વચ્છ દેખાય છે.