Lok Sabha Election Survey: લોકસભા ચૂંટણી 2024 માટે રાજકીય પક્ષોએ અત્યારથી જ રાજકીય સમીકરણો બનાવવાનું શરૂ કરી દીધું છે. સતત ત્રીજી વખત સત્તામાં આવવા માટે ભાજપના રણનીતિકારો સંપૂર્ણ તૈયારીઓ કરી રહ્યા છે. બીજી તરફ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રાથી કોંગ્રેસને સફળતા મળવાની આશા છે. આ દરમિયાન સી-વોટર અને ઈન્ડિયા ટુડેના સર્વેમાં આ વાત સામે આવી છે. જેમાં કોંગ્રેસને વોટ શેર અને સીટો બંનેની દૃષ્ટિએ એકધારો મળતો જણાય છે.


આ સર્વેમાં લોકોને 'જો આજે ચૂંટણી થાય તો'ની તર્જ પર પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જો કે સર્વેમાં ફરી એકવાર નરેન્દ્ર મોદીની સરકારને બહુમતી મળતી જોવા મળી રહી છે. આ તમામ બાબતો વચ્ચે કોંગ્રેસના વોટ શેરમાં વધારો નોંધાયો છે. ભારત જોડો યાત્રા બાદ કોંગ્રેસની બેઠકોમાં થયેલો વધારો પણ આશ્ચર્યજનક છે. જે સીધો સંકેત છે કે કોંગ્રેસ નબળી પડી રહી હોય તેવુ નથી જણાતું. આ આંકડા પીએમ નરેન્દ્ર મોદી અને બીજેપી માટે માથાનો દુ:ખાવો બની શકે છે. 


યુપીએની બેઠકો વધશે તો કોને થશે નુકસાન?


આ વર્ષે જાન્યુઆરી મહિનામાં આવેલા આ સર્વેમાં NDAને 298 સીટો મળવાની આશા છે. યુપીએના ખાતામાં 153 સીટો જતી જોવા મળી રહી છે. જ્યારે જાન્યુઆરી 2022 મહિનામાં આ એજન્સીએ સમાન સર્વે કર્યો હતો. જેમાં એનડીએને 296 અને યુપીએને 127 સીટો મળતી જોવા મળી હતી. આ સર્વેમાં 120 સીટો અન્યને આપવામાં આવી હતી.


જો વર્ષ 2022ના સર્વે સાથે સરખામણી કરવામાં આવે તો યુપીએને 26 સીટોની લીડ મળતી જોવા મળી રહી છે. તેનાથી બીજાને સીધું નુકસાન થઈ રહ્યું છે. આ સર્વેમાં અન્યનો અર્થ પ્રાદેશિક પક્ષો અને અપક્ષો છે. જેઓ NDA અને UPAનો ભાગ નથી. જોકે એનડીએની સીટોમાં બહુ ફરક જોવા મળ્યો નથી. એક વર્ષ બાદ થયેલા સર્વેમાં NDAને માત્ર 2 સીટો મળતી જોવા મળી રહી છે.


જોકે, તેનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં કોઈ ફરક પડ્યો નથી. આ સર્વેમાં સૌથી વધુ નુકશાન અન્ય લોકોને થતુ હોય તેવું લાગે છે. વર્ષ 2022માં 120 સીટો અન્યના ખાતામાં જતી જોવા મળી હતી. જે વર્ષ 2023માં થયેલા સર્વેમાં 92 સીટો પર પહોંચી ગઈ છે. તે મુજબ અન્ય 28 બેઠકો ગુમાવી રહ્યા છે. જેનો ફાયદો સીધો કોંગ્રેસને જોવા મળી રહ્યો છે.


યુપીએના વોટ શેરના કારણે કોની મુશ્કેલી વધી?


તાજેતરના સર્વે અનુસાર જો આજે ચૂંટણી થાય તો એનડીએને 43 ટકા વોટ શેર મળશે. તે જ સમયે યુપીએને 30 ટકા અને અન્યને 27 ટકા વોટ શેર મળવાનો અંદાજ છે. જ્યારે જાન્યુઆરી 2022 મહિનામાં કરવામાં આવેલા સર્વેમાં એનડીએનો વોટ શેર 41 ટકા અને યુપીએનો વોટ શેર 27 ટકા હતો. જો બંને સર્વેના આંકડાઓની સરખામણી કરવામાં આવે તો સ્પષ્ટપણે જોવા મળે છે કે 3 ટકા લોકોનું વલણ યુપીએ તરફ વધ્યું છે.


અહીં પણ મહત્તમ નુકસાન અન્યના ખાતામાં જતું હોવાનું જણાય છે. ગયા વર્ષે કરવામાં આવેલા સર્વેમાં 32 ટકા લોકોએ અન્ય લોકોને પોતાની પસંદ હોવાનું જણાવ્યું હતું. જ્યારે તાજેતરના સર્વેમાં અન્યનો વોટ શેર ઘટીને 27 ટકા થઈ શકે છે. જો કે પીએમ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા હજુ પણ યથાવત છે. આ સર્વેમાં દેશના અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ વડાપ્રધાનના સવાલ પર 47 ટકા લોકોએ નરેન્દ્ર મોદી પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો 16 ટકા લોકોએ અટલ બિહારી વાજપેયી, 12 ટકા લોકોએ ઈન્દિરા ગાંધી અને 8 ટકા લોકોએ ડૉ. મનમોહન સિંહને પોતાની પસંદગી ગણાવી હતી.