= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે કોગ્રેસને પનોતી ગણાવી હતી ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે કોગ્રેસને પનોતી ગણાવી હતી. તેમણે કહ્યુ કે કોંગ્રેસના શાસનમાં ગુજરાતમાં અનેક દુષ્કાળ પડ્યા છે. પાટણના ભાટસણ ગામે ભાજપની યોજાયેલી સભામાં અલ્પેશ ઠાકોરે કહ્યું કે 70 વર્ષ કોંગ્રેસે આ દેશ અને ગુજરાતને લૂંટવાનું કામ કર્યું છે. કોંગ્રેસના શાસનમાં એક વર્ષમાં બે બે વાર રોડ બને પણ કાગળ પર, સ્થળ પર જોવા જાઓ તો રોડ હોય જ નહીં. કોંગ્રેસ ગરીબોનું અનાજ પણ ખાઈ જતા હતા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રૂપાલાની ફરી વિનંતી બાદ પણ રાજપૂત સમાજમાં આક્રોશ છે રૂપાલાની ફરી વિનંતી બાદ પણ રાજપૂત સમાજમાં આક્રોશ છે. કરણસિંહે કહ્યુ કે રૂપાલા સામેથી ખસી ગયા હોત તો આ સ્થિતિ ન હોત. રૂપાલા મલમ લગાવવા માટે આ બધું બોલે છે. રૂપાલાએ દિલથી માફી માંગી હોય તેવું લાગતુ નથી. સમગ્ર ગુજરાતના 12 થી વધુ જિલ્લામાં ધર્મરથ ફરી ગયો છે. ધર્મરથના માધ્યમથી અમે લોકો સુધી અમારી વાત પહોંચાડી રહ્યા છીએ.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રામ મંદિર માટે ગોધરાના સ્ટેશન પર 60 કાર સેવકોએ બલિદાન આપ્યુ હતું. ગોધરામાં કેન્દ્રિયમંત્રી અમિત શાહે ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે લાંબા સમય બાદ ગોધરા આવ્યો છું. રામ મંદિર માટે ગોધરાના સ્ટેશન પર 60 કાર સેવકોએ બલિદાન આપ્યુ હતું. નરેંદ્રભાઈને જીતાડવાથી દેશ દુનિયામાં ત્રીજા નંબરની ઈકોનોમી બનશે. 10 વર્ષમાં નરેંદ્રભાઈએ અનેક વિકાસના કામો કર્યા છે. અયોધ્યામાં રામ મંદિર બનાવ્યું. કોંગ્રેસે રામ મંદિરનું આમંત્રણ પણ ન સ્વીકાર્યું. ચોક્કસ વોટ બેંક નારાજ ન થાય એટલે કોંગ્રેસે આમંત્રણ સ્વીકાર્યું નહોતુ.
શાહે કહ્યુ કે કોંગ્રેસ OBC વિરોધી પાર્ટી છે. ગરીબો માટે મોદી સરકારે અનેક કામો કર્યા છે. કોંગ્રેસ હંમેશા જુઠ્ઠાણા ફેલાવે છે. UCCથી આદિવાસી ભાઈઓના કોઈ કાયદાને અસર નહીં થાય.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કચ્છના માંડવી તાલુકા પંચાયતના ભાજપના સભ્યનું રાજીનામું કચ્છના માંડવી તાલુકા પંચાયતના ભાજપના સભ્યએ રાજીનામું આપ્યું હતું. રૂપાલાના નિવેદનના વિરોધમાં ભૂપેંદ્રસિંહ જાડેજાનું રાજીનામું આપ્યું હતું. ગુંદિયાળી બેઠકના સદસ્ય ભૂપેંદ્રસિંહ જાડેજાએ કહ્યું કે સમાજના હિત માટે રાજીનામું આપ્યું છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રાજકોટમાં રૂપાલાની સભા રદ્દ કરવામાં આવી હતી રાજકોટમાં પરસોત્તમ રૂપાલાની સભા રદ્દ કરવામાં આવી હતી. ક્ષત્રિય સમાજના વિરોધના કારણે રૂપાલાની સભા રદ્દ કરાઇ હતી. વિરોધના કારણે પુષ્કરધામ રોડ પર યોજાનારી રૂપાલાની સભા રદ્દ કરાઇ હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
દુષ્યંત ચૌહાણ સહિતના કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા પંચમહાલ જિલ્લા કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું હતું. દુષ્યંત ચૌહાણ સહિતના કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા હતા. દરમિયાન જેઠા ભરવાડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
લોકસભાની ચૂંટણીમાં PM ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે લોકસભાની ચૂંટણીમાં PM ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે. 1 મેએ સાબરકાંઠામાં PM મોદી જાહેર સભા સંબોધશે. સાબરડેરી-તલોદ હાઈવે પર જાહેરસભા યોજાશે. સભા સ્થળ પર હેલિપેડ અને સમારકામની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ચાર હેલિપેડ અને વિશાળ ડોમ બનાવવાની કામગીરી શરૂ કરાઇ હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ક્ષત્રિય સમાજના આંદોલન પર સંજયસિંહે પ્રતિક્રિયા આપી હતી ક્ષત્રિય સમાજના આંદોલન પર સંજયસિંહે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે રૂપાલાએ કરેલ નિવેદન ક્ષત્રિય સમાજનું અપમાન છે. ભાજપે રૂપાલાની ઉમેદવારી પરત ખેંચી લેવી જોઈએ. જેલનો જવાબ મતથી આપો તેવી વિનંતી છે. તાનાશાહીથી દેશ ચાલશે નહીં. સુરત તો માત્ર શરૂઆત છે. ભાજપ સમગ્ર દેશમાં ચૂંટણી ખતમ કરી દેશે. વોટની શક્તિને ભાજપ ખતમ કરી દેશે. ઈન્ડિયા ગઠબંધન 300થી વધુ બેઠક જીતશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પંચમહાલના ગોધરા ખાતે આવતીકાલે અમિત શાહની જાહેર સભા સંબોધશે પંચમહાલના ગોધરા ખાતે આવતીકાલે અમિત શાહની જાહેર સભા સંબોધશે. શાહની જાહેર સભામાં કોંગ્રેસના 70થી વધુ અગ્રણીઓ સહિત કાર્યકરો ભાજપમાં જોડાશે. ગોધરા અને શહેરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણ અને રસમિતાબેન ચૌહાણ સહિત કોંગ્રેસના વિવિધ હોદ્દાઓ ધરાવતા કાર્યકરો ભાજપમાં જોડાશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વલસાડ લોકસભા બેઠક પર પ્રિયંકા ગાંધી પ્રચંડ પ્રચાર કરશે વલસાડ લોકસભા બેઠક પર પ્રિયંકા ગાંધી પ્રચંડ પ્રચાર કરશે. ધરમપુરમાં પ્રિયંકા ગાંધી જનસભા સંબોધશે.કૉંગ્રેસ ઉમેદવાર અનંત પટેલના સમર્થનમાં પ્રિયંકા ગાંધી જનસભા સંબોધશે. પ્રિયંકા ગાંધીની જનસભાને લઈને કૉંગ્રેસના કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે. વલસાડ બેઠક પર અનંત પટેલ સામે ભાજપના ધવલ પટેલની ટક્કર છે. વલસાડ બેઠક પર કુલ સાત ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. 18 લાખ 59 હજાર 974 મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.
કૉંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક,પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહેશે. વલસાડ બેઠક પર આદિવાસી મતદારોનું પ્રભુત્વ છે. જે પક્ષ વલસાડ બેઠક જીતે તેની સરકાર બને છે. ભાજપે સાંસદની ટિકિટ કાપી ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે. કૉંગ્રેસે ધારાસભ્ય અનંત પટેલને ઉમેદવાર બનાવ્યા છે. અગાઉ કૉંગ્રેસ તરફથી કિશન પટેલ વલસાડના સાંસદ રહી ચૂક્યા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ લોકસભા બેઠક પર ચૂંટણી સભા સંબોધશે. પોરબંદર, ભરૂચ,પંચમહાલ લોકસભા બેઠક પર શાહ ચૂંટણી સભા સંબોધશે. વડોદરામાં સાંજે અમિત શાહનો મેગા રોડ શો યોજાશે. પોરબંદર લોકસભા ક્ષેત્ર જામકંડોરણામાં જનસભાની તૈયારી થઇ રહી છે. વિજય સંકલ્પ સભામાં અમિત શાહ સંબોધન કરશે. પોરબંદર લોકસભા ઉમેદવાર મનસુખ માંડવિયાના સમર્થનમાં સંબોધન કરશે. ધારાસભ્ય જયેશ રાદડીયાએ જનસભાની તૈયારીઓ પૂર્ણ કરી છે. સૌરાષ્ટ્રના ભાજપના ખેડૂત નેતા, સહકારી આગેવાનો ઉપસ્થિત રહેશે. ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા ઉપસ્થિત રહેશે.