નવી દિલ્હી: કેંદ્ર સરકારે એ  કોવિડ-19 રસીકરણ પ્રત્યે એ લોકોને પ્રોત્સાહિત કરવા માટે રણનીતિ તૈયાર કરી છે, જેમને પ્રથમ ડોઝ લેવાનો છે અને જેને બીજો ડોઝ લેવાનો બાકી છે. જે મુજબ રસીકરણ પૂર્ણ કરી ચૂકેલા લોકો માટે સાપ્તાહિક અથવા માસિક લકી ડ્રો કાર્યક્રમ યોજવામાં આવશે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રસીકરણનું આયોજન અને સંપૂર્ણ વેક્સિનેસન કરી ચૂકેલા લોકો માટે બેઝ આપવાની યોજના બનાવી છે. રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોને ટૂંક સમયમાં આ પહેલ શરુ કરવા માટે સૂચના આપવામાં આવી શકે છે.


રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ટૂંક સમયમાં આ પહેલ હાથ ધરવા સૂચના આપવામાં  આવી શકે છે. વ્યૂહરચનાઓમાં જિલ્લાઓ અથવા ગામડાઓમાં પ્રભાવશાળી વ્યક્તિઓને સામેલ કરવાનો પણ સમાવેશ થાય છે.  એવા લોકોને રાજદૂત તરીકે નિયુક્ત કરી સરકાર હર ઘર દસ્તક પહેલને આગળ વધારી શકે છે. આવા લોકો વેક્સિનના બે ડોઝ લેવાના અને રસીકરણ કાર્યક્રમના મહત્વ વિશે સારી સલાહ આપી શકે છે. 



જેમણે હજુ ડોઝ લેવાનો બાકી છે અને જેમનો બીજો ડોઝ બાકી રહી ગયો છે તેવા લોકોના કોવિડ-19 રસીકરણ માટે સરકારે ‘હર ઘર દસ્તક’ અભિયાન શરૂ કર્યું છે. "કાર્યસ્થળે રસીકરણનું આયોજન એવા લોકોને લક્ષ્ય બનાવી શકાય છે જેઓ તેમના ડોઝ બાકી છે. કર્મચારીઓ, ખાનગી અને સરકારી કચેરીઓ અને અન્ય કાર્યસ્થળો પર, તેમના સાથીદારોને ડોઝ મેળવવા માટે પ્રોત્સાહિત કરવા માટે, "હું સંપૂર્ણ રસી લીધી છે,  શું તમે પણ સંપૂર્ણ રસી લીધી છે" જેવા રસીકરણ સંદેશા ધરાવતા બેજ આપવામાં આવી શકે છે. 


સૂત્રોએ કહ્યું, આ સિવાય જેમણે વેક્સિનેશન પૂર્ણ કર્યું છે તેમના માટે સાપ્તાહિક અથવા માસિક લકી ડ્રો કાર્યક્રમનું આયોજન કરવામાં આવી શકે છે.  સૂત્રએ જણાવ્યું હતું. લકી ડ્રોના વિજેતાઓને રસીકરણ કેન્દ્રની મુલાકાત લેવા માટે અન્ય લોકોને પ્રોત્સાહિત કરવા માટે  રસોઈનો સામાન,  રાશનનો પુરવઠો, મુસાફરી પાસ, રોકડ ઇનામ જેવી વસ્તુઓ આપવામાં આવી શકે છે.